Atmadharma magazine - Ank 202
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 17

background image
શ્રાવણ: ૨૪૮૬ : ૯ :
“શું જોયું?”
બાહુબલી ભગવાનના દર્શન–યાત્રા બાદ એક પંડિતજીએ ગુરુદેવને પૂછયું: મહારાજ! આપે ત્યાં
શું જોયું?
ગુરુદેવે ઘણાજ પ્રમોદથી કહ્યું: અહા! પુણ્ય અને પવિત્રતા બંનેની અદ્ભૂતતા મેં જોઈ. એમનો
દેદાર એવો અચિંત્ય છે કે એકવાર તો નાસ્તિકને પણ શ્રદ્ધા ઉપજાવી. દ્યે......એની મુદ્રમાંથી ને એકે એક
અવયવમાંથી પુણ્ય અને પવિત્રતા નીતરી રહ્યાં છે. વિશ્વની એ એક અજાયબી છે–એનું ઘડતર પણ
આશ્ચર્યકારી થઈ ગયું છે. ઉભા ઉભા કેવળજ્ઞાનની સાધના કઈ રીતે કરી–તે એમની મુદ્રા ઉપર દેખાઈ
રહ્યું છે. ત્રણ દિવસ સુધી દોઢ–દોઢ કલાક નીહાળવા છતાં એમ થતું કે હજી જોયા જ કરીએ.–એવી
અચિંત્ય એ મુદ્રા છે.
–એ પૂછનાર હતા પં સુમેરુચન્દજી દીવાકર; ગુરુદેવનો ઉત્તર સાંભળીને તેઓ અતિ આનંદ ને
આશ્ચર્ય પામ્યા....ને તેમને લાગ્યું કે મહારાજજીના આ શબ્દો લખીને પ્રસિદ્ધ કરવા જેવા છે.
આજે એક વર્ષ બાદ પણ જ્યારે જ્યારે એ પ્રસંગની વાત નીકળે છે ત્યારે ત્યારે ગુરુદેવ એવા
જ પ્રમોદથી ઉપરની વાત કહે છે....ને જાણે બાહુબલી ભગવાનની સન્મુખ જ અત્યારે પોતે ઉભા હોય–
એમ તેનું વર્ણન કરે છે.