Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 29

background image
આત્મધર્મના અંકનો ખાસ વધારો
શ્રી જિનવાણીદાતાર ગુરુદેવાય નમ:
પરમ આનંદના પિપાસુ
જીવને સંતો ચૈતન્યનો–
અધ્યાત્મરસ પીવડાવે છે.
આસો સુદ પૂર્ણિમા: આજે જિજ્ઞાસુઓને માટે
આનંદનો સોનેરી દિવસ છે...ગુરુદેવના મંગલમય
પ્રવચનોની શ્રુતધારા આજે શરૂ થાય છે...આ પ્રવચનો
દ્વારા ગુરુદેવ પિપાસુ જીવોને આનંદમય અધ્યાત્મરસનું
પાન કરાવીને તેઓની તૃષા મટાડે છે...અંતરમાં
જયનાદપૂર્વક શ્રોતાજનો અધ્યાત્મરસને ઝીલીને તૃપ્ત
થાય છે...ભારતના હજારો જિજ્ઞાસુઓનાં હૈયાં જેની રાહ
જોઈ રહ્યા હતા તે અધ્યાત્મરસનાં ઝરણાં ગુરુદેવે
વહેવડાવવા શરૂ કર્યા છે. “આત્મધર્મ” ના આ ખાસ
વધારાદ્વારા જિજ્ઞાસુઓને તેની પ્રસાદીનું રસપાન કરતાં
જરૂર આનંદ થશે આ મંગલ પ્રસંગે ગુરુદેવને અતિશય
ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. જય હો.....ભવછેદક
ગુરુ–વાણીનો!