Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 29

background image
: ૨ : આત્મધર્મ: ૨૦૪
આ પ્રવચનસારની ૭૨મી ગાથા છે. આ પ્રવચનસારના કર્તા ભગવાન
કુંદકુંદાચાર્યદેવ છે, તેમના સંબંધમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે કે તેમને ભવસમુદ્રનો
કિનારો અત્યંત નજીક આવી ગયો છે, અલ્પકાળમાં તેઓ ભવને છેદીને મોક્ષ પામવાના
છે.–આવા ભવછેદક પુરુષની વાણી છે, તે વાણી પણ ભવછેદક છે. ભવનો છેદ કરવાનો
ઉપાય આ વાણી બતાવે છે.
જ્ઞાનાનંદસ્વભાવને નમસ્કાર કરીને, તથા અનેકાન્તમય વાણીને નમસ્કાર કરીને
પ્રવચનસારની શરૂઆત કરતાં આચાર્યદેવ કહે છે કે પરમાનંદરૂપી સુધારસના પિપાસુ
ભવ્યજીવોને માટે આ પ્રવચનસારની ટીકા રચાય છે. જેને ચૈતન્યના પરમઆનંદની જ
પિપાસા છે, જગતની બીજી કોઈ લપ જેનાં અંતરમાં નથી, અરે! અમારા ચૈતન્યનું
અમૃત અમારા અંતરમાં જ છે–એમ જેની જિજ્ઞાસાનો દોર આત્મા તરફ વળ્‌યો છે, એવા
ભવ્યજીવોના આનંદ માટે–હિતને માટે આ ટીકા રચવામાં આવે છે. જુઓ, આ શ્રોતાની
જવાબદારી બતાવી; શ્રોતા કેવો છે? કે ચૈતન્યના પરમાનંદરૂપી અમૃતનો જ પિપાસુ છે,
એ સિવાય સંસારની કોઈ ચીજનો, માનનો, લક્ષ્મીનો, પુણ્યનો, કે રાગાદિનો પિપાસુ જે
નથી, આવા જિજ્ઞાસુશ્રોતાને માટે આ “તત્ત્વપ્રદીપિકા” રચાય છે. તરતા પુરુષની આ
વાણી ભવછેદક છે.
કામ એક આત્માર્થનું,
બીજો નહિ મન રોગ.
જેના અંતરમાં એક આત્માર્થ સાધવા સિવાય બીજી કોઈ તમન્ના નથી, આત્માને
સાધવાની જ તમન્ના છે, એવા આત્માર્થી જીવોને માટે આચાર્યભગવાન આ શાસ્ત્ર રચે
છે. આ શાસ્ત્રદ્વારા આચાર્યદેવ પરમાનંદના પિપાસુ ભવ્યજીવને યથાર્થ તત્ત્વોનુ સ્વરૂપ
સમજાવે છે, –જ્ઞાન અને જ્ઞેય તત્ત્વોનું યથાર્થસ્વરૂપ સમજતાં ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટે છે
ને જીવ પરમ આનંદને પામે છે.
આટલા ઉપોદ્ઘાત પછી હવે મૂળ અધિકાર શરૂ થાય છે.
(જેઠ સુદ ૧૪ના રોજ પ્રવચનસાર ગા. ૭૧ સુધી વંચાયેલ, ત્યારબાદ આજે
આસો સુદ ૧પના રોજ પ્રવચનસાર ગા. ૭૨થી શરૂ થાય છે.)
જગતના છ દ્રવ્યોમાં આ આત્મા જ્ઞાનતત્ત્વ છે, વિશુધ્ધ જ્ઞાનદર્શનસ્વભાવી
આત્મા છે તેના સ્વભાવમાં જ વાસ્તવિક સુખ છે; એ સિવાય શુભ કે અશુભ
પરિણામમાં વાસ્તવિક સુખ નથી. પરમાનંદરૂપ જે જ્ઞાનતત્ત્વ છે તેમાં શુભ કે અશુભ