Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 29

background image
આસો: ૨૪૮૬ : ૩ :
પરિણામનો અભાવ છે–પછી અજ્ઞાનીના શુભ હો કે જ્ઞાનીના હો,–પણ તે શુભ
પરિણામમાં કિંચિત્ સુખ કે મોક્ષમાર્ગ નથી. ચોથા ગુણસ્થાનથી મોક્ષમાર્ગની શરૂઆત
થઈ હોવા છતાં જે શુભોપયોગ છે તે કંઈ મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ રાગ વગરની જે
શુદ્ધતા પ્રગટી તેમાં જ છે. એ સિવાય અશુભ કે શુભ (સમ્યદ્રષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ) તે
બંનેમાં દુઃખનું સાધનપણું સમાનપણે છે, જેમ પાપને ઉત્પન્ન કરનાર અશુભ ઉપયોગ તે
દુઃખનું જ કારણ તેમ પુણ્યને ઉત્પન્ન કરનાર શુભઉપયોગ પણ તે અશુભોપયોગની
માફક જ દુઃખનું સાધન છે.–એમ ૭૨મી ગાથામાં સમજાવે છે.
કોને સમજાવે છે?–કે જે જીવ ચૈતન્યના પરમ આનંદનો પિપાસુ છે તેને સમજાવે છે–
તિર્યંચ–નારક–સુર–નરો જો દેહગત દુઃખ અનુભવે
તો જીવનો ઉપયોગ એ શુભ ને અશુભ કઈ રીત છે? ૭૨.
આચાર્યદેવ કહે છે કે, અરે જીવ! તું વિચાર તો ખરો કે, જો શુભ અને અશુભ
બંનેમાં જોડાયેલા જીવો દુઃખ જ પામે છે, તો તે બંનેમાં શો ફેર છે?–બંનેમાં સુખનો
અભાવ છે, બંને આત્માના શુદ્ધોપયોગથી વિલક્ષણ છે, બંને અશુદ્ધ છે, સ્વાભાવિક સુખ
તો શુદ્ધોપયોગમાં જ છે. જેને રાગમાં–પુણ્યમાં–શુભમાં સુખ લાગતું હોય તે જીવ ખરેખર
પરમાનંદનો પિપાસુ નથી. સમ્યગ્દર્શનમાં પ્રાપ્ત થતું જે પરમસુખ તેની તેને ખબર નથી.
શુભના ફળરૂપ જે પુણ્ય–તેમાં ઝંપલાવીને જેઓ પોતાને સુખી માને છે તેવા જીવોને
ચૈતન્યના પરમાનંદની ખબર નથી, ચૈતન્યના પરમાનંદને ભૂલીને કાયરતાથી તેઓ
ઈંદ્રિયવિષયોમાં ઝંપાપાત કરે છે, તેઓ દુઃખમાં જ પડ્યા છે. નરકનો નારકી કે સ્વર્ગનો
દેવ–એ બંને જીવો ઈન્દ્રિયવિષયોથી જ દુઃખી છે.
શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો?
વધવાપણું સંસારનું નર દેહને હારી જવો,
એનો વિચાર નહિ અહોહો, એક પળ તમને હવો!
અરે જીવ! લક્ષ્મી વગેરે વધતાં તેમાં આત્માને શું વધ્યું? તેમાં આત્માને શું સુખ
મળ્‌યું?–એનાથી આત્માની કાંઈ અધિકતા નથી. આત્માની અધિકતા