Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 29

background image
: ૪ : આત્મધર્મ: ૨૦૪
તો જ્ઞાનસ્વભાવથી જ છે. જ્ઞાનસ્વભાવવડે અધિક એવા આત્માને જાણ તો તારો
ભવનો છેદ થાય. ભાઈ, આવો મનુષ્ય અવતાર મળ્‌યો તેમાં જો તેં ભવના છેદનો ઉપાય
ન કર્યો તો તેં શું કર્યું? આ ભવ, ભવના છેદ માટે જ મળેલો છે. ચાર ગતિના ભવનો
અભાવ કરવા માટે જ આ અવતાર છે; પરમ આનંદની પ્રાપ્તિનો પિપાસુ થઈને તું
ભવછેદનો ઉપાય કર.
જ્ઞાની, અથવા તો પરમાનંદનો પિપાસુ જીવ એમ જાણે છે કે મારા વિશુદ્ધ
ચૈતન્ય સ્વભાવમાં શુભ કે અશુભ નથી, મારા અતીન્દ્રિય આનંદ સ્વભાવમાં
ઈંદ્રિયવિષયનો અભાવ છે.–આમ જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને જેણે દ્રવ્યેન્દ્રિયો
ભાવેન્દ્રિયો તથા તે ઈંદ્રિયના વિષયો–એ બધાથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વભાવને
અનુભવ્યો તે જીવ જીતેન્દ્રિય છે, તે જિનેન્દ્રદેવનો ખરો ભક્ત છે, તે જીવ આત્માના
પરમ આનંદને અનુભવનાર છે.
અમૃતઝરણી.....
શાંતિદાતારી.......
ભવ તારણહારી......
ગુરુદેવની મંગલ વાણીનો
(આ મંગલ–પ્રવચન પછી પૂ. બેનશ્રીબેને
હર્ષોલ્લાસપૂર્વક ભક્તિ કરાવી હતી.)
આત્મધર્મના ગ્રાહક બનો
અને
લવાજમ તુરત મોકલાવો