Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page  


PDF/HTML Page 29 of 29

background image
ATMADHARMA Reg. No. B. 4787
____________________________________________________________________________
તાકો વંદના હમારી હૈ.....
(કવિત)
દશા હૈ હમારી એક ચેતના બિરાજમાન, આન પર ભાવનસોં તિહું કાલ ન્યારી હૈ.
અપનો સ્વરૂપ શુદ્ધ અનુભવે આઠોં જામ, આનંદકો ધામ ગુણગ્રામ વિસતારી હૈ;
પરમ પ્રભાવ પરિપૂરન અખંડ જ્ઞાન, સુખકો નિધાન લખિ આન રીતિ ડારી હૈ,
ઐસી અવગાઢ ગાઢ આઈ પરતીતિ જાકે, કહે દીપચંદ તાકો વંદના હમારી હૈ.
।। ।।
ભાવાર્થ:– અમારી દશા એક ચૈતન્યસ્વરૂપે બિરાજમાન છે અને અન્ય પરભાવોથી ત્રણેકાળ
જુદી છે” એમ જે પોતાના સ્વરૂપને આઠે પહોર (દિનરાત) શુદ્ધ અનુભવે છે. આનંદના ધામ
ગુણસમૂહનો જેણે વિસ્તાર કર્યો છે, પરમ પ્રભાવરૂપ પરિપૂર્ણ અખંડ જ્ઞાન અને સુખના નિધાનને
દેખીને જેણે બીજી રીત છોડી દીધી છે–આવી અવગાઢ દ્રઢ પ્રતીતિ થઈ છે તેને અમારી વંદના છે.
આત્મિકરુચિ હૈ અનંતસુખસાધિની
પરમ અખંડ બ્રહમંડ વિધિ લખૈ ન્યારી, કરમ વિહંડ ઠરે મહા ભવબાધિની,
અમલ અરૂપી અજ ચેતન ચમત્કાર, સમૈસાર સાધે અતિ અલખ અરધિની;
ગુણકો નિધાન અમલાન ભગવાન જાકો પ્રત્યક્ષ દિખાવે જાકી મહિમા અબાધિની,
એક ચિદરૂપકો અરૂપ અનુસરે ઐસી આતમિક રુચિ હૈ અનંત સુખ સાધિની.ા ૬ા
ભાવાર્થ:–
આત્મિક રુચિ અનંત સુખને સાધનારી છે: કેવી છે તે રુચિ? પરમ અખંડ
ચૈતન્યબ્રહ્મને તે કર્મથી ભિન્ન દેખે છે. કર્મને ખંડખંડ કરી નાખે છે. ભવભ્રમણની અત્યંત બાધક છે
અર્થાત્ ભવભ્રમણને રોકનારી છે. નિર્મળ અરૂપી ચૈતન્યચમત્કારને દેખનારી છે, શુદ્ધ આત્મરૂપ
સમયસારને અત્યંતપણે સાધનારી છે. ને અલખ–અતીન્દ્રિય ચૈતન્યને આરાધનારી છે, ગુણનો નિધાન
અને સંકોચરહિત એવો જે ભગવાન આત્મા તેને તે પ્રત્યક્ષ દેખાડનારી છે. તે આત્મરુચિનો મહિમા
અબાધ્ય છે, કોઈથી તે બાધિત થતો નથી, અને તે રુચિ એક ચૈતન્યસ્વરૂપને જ અનુસરનારી છે.–
આવી આત્મરુચિ અનંત સુખને સાધનારી છે.
સંતનકી મતિ મહામોક્ષ અનુસારિણી
અચલ અખંડ પદ રુચિકી ધરૈયા ભ્રમ–ભાવકી હરૈયા એક જ્ઞાનગુનધારિની,
સકિત અનંત કો વિચાર કરે, બારબાર, પરમ અનુપ નિજ રૂપકો ઉધારિની;
સુખકો સમુદ્ર ચિદાનંદ દેખે ઘટમાંહિ, મિટે ભવ બાધા મોક્ષપંથકી વિહારિની,
દીપ જિનરાજ સો સરૂપ અવલોકે ઐસી, સંતનકી મતિ મહામોક્ષ અનુસારિની.ા ૭ા
ભાવાર્થ:– સંતોની મતિ મહામોક્ષને અનુસરનારી છે; કેવી છે સંતોની મતિ? પોતાના અચલ
અખંડપદની રુચિને ધરનારી છે. ભ્રમભાવને હરનારી છે, એક જ્ઞાનગુણને ધરનારી છે. પોતાની
અનંતશક્તિનું વારંવાર ચિંતન કરનારી છે. પરમ અનુરૂપ એવા નિજરૂપને પ્રગટ કરનારી છે. સુખના
સમુદ્ર એવા ચિદાનંદસ્વરૂપને પોતાના અંતરમાં જ દેખનારી છે. ભવબાધા મટાડનારી છે ને મોક્ષપંથમાં
વિહાર કરનારી છે, તથા જિનરાજ જેવા નિજસ્વરૂપને અવલોકનારી છે.–આવી સંતોની મતિ
મહામોક્ષને અનુસરનારી છે. “જ્ઞાનદર્પણ માંથી
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ: આનંદ પ્રિ. પ્રેસ. ભાવનગર