
---------------------------------------------------------------------------------------
કેવો જાણે તો યથાર્થ જાણ્યો કહેવાય તે પણ આમાં બતાવ્યું. સર્વ પ્રકારે સંપૂર્ણ એવો સર્વજ્ઞસ્વભાવી આત્મા
છે.–એવા આત્માને જાણે તો જ સમ્યગ્જ્ઞાન થયું કહેવાય. આત્માને રાગના કર્તૃત્વવાળો કે બંધનવાળો જાણે
તો તેમાં વાસ્તવિક આત્માનું જ્ઞાન થતું નથી. બીજી રીતે કહીએ તો આત્માને અબંધસ્વભાવી જાણે ને
બંધભાવને ભિન્ન જાણે.–એ રીતે જાણીને બંધથી જુદું અબંધભાવે જ્ઞાન પરિણમે તો જ સમ્યગ્જ્ઞાન છે અને તે
સમ્યગ્જ્ઞાનના પરિણમનમાં સર્વે બંધભાવોનો અભાવ જ છે. જુઓ, આ મોક્ષમાર્ગમાં ગમન કરતું જ્ઞાન!
જેનાથી મોક્ષમાર્ગમાં ગમન થાય–તે જ જીવને પ્રયોજનરૂપ છે, ને તેનો જ જૈનધર્મમાં ઉપદેશ છે. રાગવડે કદી
મોક્ષમાર્ગમાં ગમન થતું નથી, રાગ તો મોક્ષમાર્ગને રોકનાર છે.
* જો સર્વજ્ઞસ્વભાવ બેઠો તો રાગની રુચિને જરાપણ અવકાશ રહેતો નથી; કેમકે સર્વજ્ઞસ્વભાવમાં
છે.
* જ્યાં દ્રષ્ટિ ખુલી કે હું કોણ? હું તો સર્વજ્ઞસ્વભાવી; મારા સ્વભાવમાં રાગના એક કણને પણ
શ્રદ્ધારૂપે કેવળજ્ઞાન થયું. અહા, જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં પોતાના આત્માનું કેવળજ્ઞાન પ્રતીતમાં આવી ગયું.
તેની રુચિની દિશા રાગથી પાછી ફરીને કેવળજ્ઞાન તરફ વળી. તે કંકુવરણે પગલે કેવળજ્ઞાન લેવા ચાલ્યો.
અને જે જીવ ચિદાનંદસ્વભાવનો અનાદર કરીને રાગનો આદર કરે છે તે બંધપરિણામી જીવ ઘોરદુઃખમય
સંસારમાં રખડે છે. અરે, જ્ઞાનનો પ્રેમ છોડીને રાગનો પ્રેમ કર્યો તેણે મોક્ષનો માર્ગ છોડીને સંસારનો માર્ગ
લીધો. આચાર્યદેવ કહે છે કે હે ભાઈ, જો તને મોક્ષનો ઉત્સાહ હોય, મોક્ષને સાધવાની લગની હોય તો સમસ્ત
બંધભાવોની રુચિ તું છોડ, ને જ્ઞાનની રુચિ કર; મોક્ષના માર્ગમાં સમસ્ત બંધભાવોને નિષેધવામાં આવ્યા છે,
ને જ્ઞાનસ્વભાવનું જ અવલંબન કરાવવામાં આવ્યું છે.