Atmadharma magazine - Ank 220
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 25

background image
માહ: ૨૪૮૮ : ૨૩ :
આત્માનો જ્ઞાનસ્વભાવ
(અનુસંધાન પૃષ્ઠ: ૧૮ થી ચાલુ)
આત્મા એટલે જ્ઞાનનો પિંડ. જેમ સાકર એટલે ગળપણનો પિંડ, અફીણ એટલે કડવાશનો પિંડ,
અગ્નિ એટલે ઉષ્ણતાનો પિંડ, તેમ આત્મા એટલે જ્ઞાનનો પિંડ; જ્ઞાન તે આત્માનો સ્વભાવ છે, અને તે
પરિપૂર્ણ જાણવાની તાકાતવાળો છે, કેમકે સ્વભાવ પોતાથી અપૂર્ણ ન હોય આ રીતે ભગવાન આત્મા
સર્વજ્ઞસ્વભાવી છે.–આવો હોવા છતાં અનાદી કાળથી આત્મા પોતાને કેમ નથી જાણતો?–તો કહે છે કે
અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી તે કર્મમળવડે લેપાયેલો છે તેથી તે પોતાના સર્વજ્ઞ સ્વભાવને,
જાણતો નથી. સર્વજ્ઞ સ્વભાવનો આશ્રય ન કરતાં, પુરુષાર્થના અપરાધને લીધે બંધભાવનો આશ્રય કરે છે
તેથી પોતાના અબંધસ્વભાવને (સર્વજ્ઞસ્વભાવને, મુક્તસ્વભાવને) તે જાણતો નથી. નિગોદમાં પણ પોતાના
પ્રચૂર ભાવકલંકને લીધે જ જીવ રખડયો છે. નિગોદથી માંડીને નવમી ગ્રૈવેયક સુધી અજ્ઞાનભાવે જ્યાં જ્યાં
રખડયો તે પોતાના પુરુષાર્થના અપરાધથી જ જીવ રખડયો છે. જેનાથી રખડવાનું થાય તે ભાવ આદરણીય
કેમ હોય? માટે શુભ કે અશુભ કોઈ કર્મ આદરણીય નથી; અહો, આત્માનો સર્વજ્ઞસ્વભાવ તો મુક્તસ્વરૂપ
છે, ને પુણ્ય–પાપના ભાવો તો બંધસ્વરૂપ છે, માટે જ્ઞાનસ્વભાવનો આશ્રય કરીને તે બંધસ્વરૂપભાવો
નિષેધવા યોગ્ય જ છે.
ચૈતન્યસ્વભાવી આત્મા તો અબંધસ્વરૂપ છે, તે પોતે કર્મબંધનું કારણ નથી; તે પોતે તો જ્ઞ–સ્વભાવી
છે, સર્વને જાણે એવો તેનો સ્વભાવ છે. પણ બંધભાવોમાં અટકવાને લીધે તે સર્વજ્ઞસ્વભાવને જાણતો નથી ને
સંસારમાં રખડે છે; તે તેનો પોતાનો જ અપરાધ છે. રાગાદિ ભાવોમાં હિત માનીને જે અટક્યો તે બંધનમાં
જ અટક્યો છે, તે મોક્ષના માર્ગે આવ્યો નથી.
આત્મા સર્વજ્ઞસ્વભાવી હોવા છતાં સંસારમાં કેમ રખડે છે? કે બંધભાવમાં અટક્યો છે માટે;
શુભરાગમાં અટક્યો તે પણ બંધભાવમાં જ અટક્યો છે. શુભભાવ વડે અબંધપણું જરાપણ પ્રગટે એમ બનતું
નથી; શુભભાવ પોતે બંધસ્વરૂપ જ છે, જે પોતે બંધસ્વરૂપ હોય તે મોક્ષનું સાધન કેમ થાય?
જાણવું–એ જ જેનું સ્વરૂપ છે તેમાં વચ્ચે રાગ ક્્યાંથી આવ્યો? રાગથી–શુભરાગથી કિંચિત લાભ થાય
એમ માનનારો ખરેખર પોતાના આત્માને રાગસ્વરૂપ જ માને છે પણ જ્ઞાનસ્વરૂપ નિજાત્માને તે જાણતો
નથી. અહો, જ્ઞાનને અને રાગને અત્યંત ભિન્નતા છે, થાંભલાને જાણનારું જ્ઞાન જેમ થાંભલાથી જુદું છે,
આવા ભિન્ન જ્ઞાનસ્વભાવને ભેદજ્ઞાન વડે અજ્ઞાની જીવ જાણતો નથી.
એક તરફ આખોય સર્વજ્ઞસ્વભાવ;
એક તરફ અશુભ ને શુભ બંધભાવો;
–આમ બે પડખાં છે. તેમાંથી સર્વજ્ઞસ્વભાવની સન્મુખ થઈને તેની રુચિ–પ્રતીતિ કરનાર સમ્યગ્દ્રષ્ટિ
જીવ બંધભાવોની રુચિમાં રોકાતો નથી; અને જે મિથ્યાદ્રષ્ટિ જીવ બંધભાવોની રુચિમાં રોકાય છે તે જીવ
સર્વજ્ઞસ્વભાવની રુચિ–પ્રતીતિ કરી શકતો નથી. સર્વજ્ઞસ્વભાવનો અનાદર કરીને બંધનો આદર કર્યો તેનું ફળ
સંસાર છે. અને રાગનો નિષેધ કરીને સર્વજ્ઞસ્વભાવનો આદર તે મોક્ષનું કારણ છે. સર્વજ્ઞસ્વભાવના
અવલંબન વડે બંધન તૂટી જાય છે.
કર્મના ઉદયને લીધે જીવ બંધાય છે?–તો કહે કે ના; પોતાના સર્વજ્ઞસ્વભાવને નહિ જાણનારો જીવ
પોતાના પુરુષાર્થના અપરાધથી જ બંધાય છે. અજ્ઞાની
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
(આત્મધર્મ અંક ૨૧૯ ચોથા પાને, છેલ્લા પારીગ્રાફની છઠ્ઠી લાઈનમાં “એકાન્ત શાસનને મુકીને”
એમ છપાયેલ છે તેને બદલે “અનેકાન્ત શાસનને મુકીને” એમ સુધારીને વાંચવું.)