
સંબંધી જેને વિકલ્પ નથી અર્થાત્ આત્મભાનપૂર્વક સ્ત્રી આદિનો રાગ છોડીને જેઓ વીતરાગી મુનિ
થયા છે તે પુરુષો જ આ જગતમાં ધન્ય છે. જેને સ્ત્રીઓ ચાહે છે એવા ઈન્દ્રો અને ચક્રવર્તી વગેરે મોટા
પુરુષો પણ, જેના હૃદયમાંથી સ્ત્રી ટળી ગઈ છે એવા પવિત્ર પુરુષોને નમસ્કાર કરે છે–સ્તવે છે.
સ્ત્રીઓ પુણ્યવંતને ચાહે છે અને પુણ્યવંતો ધર્માત્મા સંતને નમે છે, માટે પુણ્ય કરતાં પવિત્રતાનો–
ધર્મનો પુરુષાર્થ ઊંચો છે.
પુરુષો પણ મુનિરાજ વગેરે પવિત્ર પુરુષોને નમી પડે છે, માટે પવિત્રતા જ શ્રેષ્ઠ છે. પવિત્રતા ઈચ્છવા
યોગ્ય છે, પુણ્ય ઈચ્છવા યોગ્ય નથી.
કર્યો છે તે જ શ્રેષ્ઠ છે, પુણ્ય કરીને સ્ત્રી આદિને પ્રિય થાય તેમાં કાંઈ આત્માની શ્રેષ્ઠતા નથી, તે
આદરણીય નથી. પૂર્વે પુણ્ય કરીને તેના ફળમાં સ્ત્રી આદિ મળી તેના રાગમાં અટકવું તે સારું નથી,
પણ પુણ્યને તરણાં તુલ્ય જાણીને અને સ્ત્રી પ્રત્યેના રાગને છોડીને સ્વભાવના આશ્રયે વીતરાગતા
પ્રગટ કરવી તે જ શ્રેષ્ઠ છે. માટે હે જીવ! તું સ્ત્રી આદિ સંયોગની તેમ જ પુણ્યની પ્રશંસા છોડીને
સ્વભાવનાં શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતાનો પુરુષાર્થ કર, તે ધર્મ છે.
ગયો છે, તેનું જ નામ ઉત્તમ બ્રહ્મચર્ય છે. પર લક્ષે બ્રહ્મચર્યનો શુભરાગ તે તો પુણ્યબંધનું કારણ છે, તે
ઉત્તમ બ્રહ્મચર્યધર્મ નથી.
નથી. બ્રહ્માનંદ આત્માના જ્ઞાનસ્વરૂપનો આનંદ–તેનું સેવન કરીને મુનિઓ મોક્ષ રૂપી સ્ત્રીને સાધે છે.
પુણ્યવંતને તો જેટલો કાળ પુણ્ય હોય તેટલો કાળ તે સ્ત્રીના હૃદયમાં પ્રિય લાગશે. પણ ચૈતન્યના
આશ્રયે જેણે બ્રહ્મચર્ય પ્રગટ કર્યું છે. તેને મોક્ષરૂપી સ્ત્રીની સદા કાળ પ્રાપ્તિ રહે છે અને ઈન્દ્ર વગેરે
સર્વે ઉત્તમ જીવો પણ તેને નમસ્કાર કરે છે. માટે તે જ ભવ્ય જીવોએ આદરણીય છે. પહેલાં જ,
આત્મસ્વભાવમાં સુખ છે ને સ્ત્રી આદિ કોઈ વિષયોમાં સુખ નથી એમ સાચી શ્રદ્ધા તથા સાચું જ્ઞાન
કરવું તે ધર્મ છે.