Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 61

background image
સંત કેરી શીતલ આ છાંયડી
પૂ. બેનશ્રીબેનની ચરણછાયામાં આઠ બ્ર. બહેનો
ઊભેલી લાઈન: વીણાબેન, નિર્મળાબેન, તારાબેન, શારદાબેન, રંજનબેન, હર્ષાબેન,
બંને બાજુ બેઠેલા: સુબોધિનીબેન તથા કોકિલાબેન.
આત્માના પ્રયત્ન બાબતમાં દિશા બતાવતાં પૂ. ગુરુદેવ ઘણા ઊંડાણમાંથી કહે છે કે
“આત્મસ્વરૂપ શું છે તેનો નિર્ણય કરવાની ધૂન લાગવી જોઈએ... બધા ન્યાયોથી નક્કી કરવાની લગન
લાગવી જોઈએ. બધાય પડખેથી અંદર નક્કી ન થાય ત્યાં સુધી સખ ન પડે. એમ ને એમ ઉપરટપકે
જતું કરી ન દેવાય. અંદર મંથન કરી કરીને એવો દ્રઢ નિર્ણય કરે કે જગત આખું ફરી જાય તોય પોતાના
નિર્ણયમાં શંકા ન પડે. આત્માના સ્વરૂપનો આવો નિર્ણય કરતાં પરિણતિનો વેગ અંતરમાં વળે છે.
આત્માનો અર્થી થઈને આત્માનું હિત સાધવા જે જાગ્યો તે જરૂર આત્મહિત સાધે જ.
(બ્રહ્મચર્ય અંક નં. ૨ માંથી) (–પૂ. ગુરુદેવ.)