Atmadharma magazine - Ank 240a
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 22

background image
____________________________________________________________________________
વર્ષ : ૨૦) તંત્રી : જગજીવન બાવચંદ દોશી (અંક ૧૩ મો
____________________________________________________________________________
– ‘હવે અમારું દિલ
બીજે ક્્યાંય લાગતું નથી.’
નિયમસારના ૧૩૦ મા કલશમાં શ્રી પદ્મપ્રભમુનિરાજ કહે છે:
જેમ અમૃતભોજનના સ્વાદને જાણીને દેવોનું દિલ અન્ય
ભોજનમાં લાગતું નથી, તેમ જ્ઞાનાત્મક સૌખ્યને જાણીને અમારું દિલ તે
સૌખ્યતા નિધાન ચૈતન્યમાત્ર–ચિંતામણિ સિવાય બીજે ક્્યાંય લાગતું
નથી.
શ્રી પદ્મનંદીમુનિરાજ પણ ‘એકત્વભાવના’ માં કહે છે કે–
શ્રી ગુરુઉપદેશના પ્રતાપથી અમને એક મોક્ષપદ જ પ્રિય છે,
સંસારસંબંધી બીજું કાંઈ પણ ખરેખર અમને પ્રિય નથી.
किंचित् संसारसंबंधी बंधुरं नेति निश्चयात्
गुरुपदेशतोऽस्माकं निःश्रेयसपदं प्रियम्।।७।।
આસો ૨૪૮૯
[૨૪૦
A]