Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 42

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૧૭ઃ
યાત્રાસંઘ સંબંધી સૂચના
(૧) મૂડબિદ્રિ, શ્રવણબેલગોલા, તથા વંદેવાસ યાત્રાસંઘ આગલે દિવસે સાંજે પહોંચશે.
(૨) યાત્રાસંઘ તા. ૧૦–૧–૬૪ના રોજ સવારે મુંબઈથી રવાના થશે, અને તે જ
દિવસે પૂના પહોંચશે. અને પૂનાથી પૂજ્ય ગુરુદેવ સાથે યાત્રા શરૂ થશે. અને
પોન્નુર સુધી સંઘ રહેશે.
(૩) યાત્રાસંઘમાં જોડાનાર બસના યાત્રિકો તથા ખાનગી મોટરકારના યાત્રિકોએ
તા. ૧પ–૧૨–૬૩ સુધીમાં વિનંતીપત્રક ભરીને સોનગઢ મોકલી આપવા વિનંતી છે.
(૪) વિનંતીપત્રક સોનગઢ તથા દરેક ગામના મુમુક્ષુમંડળ પાસેથી મળી શકશે.
(પ) મુંબઈથી પોન્નૂર, પોન્નૂરથી મુંબઈ સુધીના માઈલ લગભગ બે હજાર તથા
દિવસો ૨૨ થશે.
(૬) મુંબઈથી પોન્નૂર તથા પોન્નૂરથી મુંબઈ સુધીનું બસભાડું તથા વ્યવસ્થાખર્ચના
વ્યક્તિ દીઠ રૂા. ૧૨૦ લેવામાં આવશે.
(૭) મુંબઈથી પોન્નૂર તથા પોન્નૂરથી મુંબઈ સુધીનું બસભાડું તથા વ્યવસ્થાખર્ચના
ત્રણ વર્ષથી દશ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે વ્યક્તિદીઠ રૂા. ૭પ) લેવામાં
આવશે અને તેને સીટ આપવામાં આવશે.
(૮) ખાનગી મોટરકારના યાત્રિકો પાસેથી વ્યક્તિદીઠ વ્યવસ્થાખર્ચના રૂા. ૧પ)
લેવામાં આવશે.
(૯) યાત્રાસંઘની બસના યાત્રિકે બસભાડા પેટે અનામત તરીકે વ્યક્તિદીઠ
રૂા. પ૦) વિનંતીપત્રક સાથે મોકલવાના રહેશે.
(૧૦) જો સમૂહભોજનમાં જમનારાઓની સંખ્યા ઓછામાં ઓછી ત્રણસો થશે તો
યાત્રાસંઘ તરફથી સમૂહભોજનની વ્યવસ્થા કરવામાં આવશે અને તેનો ચાર્જ બે
ટંક જમવાનું તથા સવારે ચાના મળી રૂા. ૨–પ૦ તથા છૂટક એક ટંકનો ચાર્જ રૂા.
૧–પ૦ લેવામાં આવશે. ત્રણથી દશ વર્ષ સુધીની ઉમરના બાળકોનો ચાર્જ બે ટંક
જમવાનું તથા સવારે ચાના મળી રૂા. ૧–૭પ તથા છૂટક એક ટંકનો ચાર્જ
રૂા. ૧–૦૦ લેવામાં આવશે.
(૧૧) યાત્રાસંઘની ટીકીટના અનામત વગેરે રકમનો ચેક કે ડ્રાફટ મોકલવામાં આવે તો
તે “ખીમચંદ જેઠાલાલ શેઠ એન્ડ અધર્સ” એ નામથી મોકલવા.
પત્ર વ્યવહારનું સરનામું–
પૂ. કાનજીસ્વામી દિ. જૈન તીર્થયાત્રા સંઘ વ્યવસ્થાપક કમિટી,
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)