Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 42

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૨૪૧
ભગવાને સાધેલો ને બતાવેલો
પરિનિર્વાણનો પંથ
(વીર. સં.૨૪૮૮ આસો વદ અમાસઃ શીલપ્રાભૃત ગા. ૧૧–૧૨ના પ્રવચનમાંથી)
આજે ભગવાન મહાવીરપરમાત્મા પાવાપુરીથી મોક્ષ પામ્યા, ભગવાનનો આત્મા
આજે પૂર્ણ નિર્મળપર્યાયે પરિણમ્યો, ભગવાન આજે સિદ્ધ થયા. પાવાપુરીમાં ઇન્દ્રો અને
રાજાઓએ નિર્વાણનો મોટો મહોત્સવ ઊજવ્યો. તે દીવાળીનો તેમ જ મોક્ષના બેસતા
વર્ષનો આજે દિવસ છે. ભગવાનના મોક્ષને આજે ૨૪૮૮મું વર્ષ બેઠું. ભગવાન
પાવાપુરીથી સ્વભાવઊદ્ધર્વગમન કરીને ઉપર સિદ્ધાલયમાં બિરાજી રહ્યા છે.
અનાદિકાળમાં કદી નહોતી થઈ એવી અપૂર્વદશા આજે ભગવાનને પાવાપુરીમાં પ્રગટી.
તેથી પાવાપુરી પણ તીર્થધામ છે. સમ્મેદશિખરની યાત્રા વખતે પાવાપુરી યાત્રા કરવા
ગયા ત્યારે ત્યાં અભિષેક કર્યો હતો. ત્યાં (સરોવર વચ્ચે) જ્યાંથી ભગવાન મોક્ષ
પધાર્યા ત્યાં ભગવાનના ચરણકમળ છે. તીર્થંકરોનું