તત્પર બની. શ્રેણિક કહે છેઃ અરે, એ તારા ગુરુ તો કયારનાય સર્પને દૂર ફેંકીને
બીજે ચાલ્યા ગયા હશે! ‘નહિ રાજન!’ ચેલણાએ કહ્યું–, આત્મસાધનામાં લીન
મારા ગુરુને, વીતરાગી જૈનસંતને, શરીરનું એવું મમત્વ હોતું નથી. તેઓ એમને
એમ જ બેઠા હશે. નજરે જોવું હોય તો ચાલો મારી સાથે!’
સ્તબ્ધ બની ગયો....એનો દ્વેષ ઓગળી ગયો, હૃદય ગદગદિત થઇ ગયું. એવામાં
ધ્યાન પૂર્ણ થતાં મુનિરાજે રાણી અને રાજા બન્નેને ધર્મવૃદ્ધિના સમાન
આશીર્વાદ આપ્યા, મુનિરાજની આવી મહાન સમતા દેખીને રાજા શ્રેણિક ચકિત
થઇ ગયોઃ ‘ધન્ય છે આ જૈનમુનિરાજને! ધન્ય છે આવા વીતરાગી
જૈનધર્મને!–આવા બહુમાનપૂર્વક પોતાના અપરાધની ક્ષમા માંગી, રાજા
જૈનધર્મી થયો સમ્યગ્દર્શન પામ્યો.
રાજા શ્રેણિકે વિવાહ કરેલા, ને એ ચેલણા મગધદેશની મહારાણી બની; પરંતુ એને ત્યાં
જરાય ચેન પડતું નથી, કેમકે શ્રેણિકરાજા તો અન્યધર્મને માને છે, જૈનધર્મ ઉપર તેને
પ્રેમ નથી. જૈનધર્મની જાહોજલાલી વચ્ચે ઊછરેલી એ ચેલણાને જૈનધર્મ વગર રાજમાં
ચેન ક્યાંથી પડે? તે રાજાને કહે છે કે અરે રાજન્! જૈનધર્મ વગરના આ રાજ્યને
ધિક્કાર છે! રાજા તેને જૈનધર્મને અનુસરવાની ને જિનમંદિર બંધાવવા વગેરેની છૂટ
આપે છે. પછી તો ચેલણારાણી પરમ જિનભક્તિપૂર્વક મહાન જિનાલય બંધાવે છે,
આનંદથી પૂજનભક્તિ