Atmadharma magazine - Ank 251
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page  


PDF/HTML Page 29 of 29

background image
"ATMDHARM" Reg. No. G. 182
* ભાદરવા સુદ બીજના દિવસે સાગરના શેઠ શ્રી ભગવાનદાસજી શોભાલાલજીના નવા
મકાનનું વાસ્તુ સોનગઢમાં હતું. આ નિમિત્તે તેમને ત્યાં પ્રવચન–ભક્તિ વગેરે
કાર્યક્રમ હતો. જિનેન્દ્રભગવાનને મંડપમાં બિરાજમાન કરીને સાંજે ભક્તિ વખતે
શેઠજી વગેરેએ હર્ષ અને ભક્તિ વ્યક્ત કરી હતી.
* ભાદરવા સુદ બીજના દિવસે સોનગઢની બાલિકાઓએ “હરિષેણચક્રવર્તી” નો સંવાદ
કર્યો હતો; તથા ત્રીજના દિવસે વિદ્યાર્થીગૃહના વિદ્યાર્થીઓએ ‘વજ્રબાહુવૈરાગ્ય” નો
સંવાદ કર્યો હતો. બંને સંવાદ સુંદર વૈરાગ્ય અને જિનભક્તિપ્રેરક હતા.
* ભાદરવા સુદ પાંચમના રોજ દસલક્ષણી પર્યુષણપર્વનો પ્રારંભ થયો હતો તથા શ્રી
જિનેન્દ્રભગવાનની રથયાત્રા નીકળી હતી. આ દસલક્ષણી પર્વ દરમિયાન ગુરુદેવે
કાર્તિકેયાનુપ્રેક્ષામાંથી દસ ધર્મ ઉપર વિવેચન કર્યું હતું. દસલક્ષણમંડલ વિધાન થયું
હતું. સુગંધદશમી વગેરે પ્રસંગો પણ દશ પૂજન, દશ સ્તોત્ર વગેરે વિધિથી
ઉત્સાહપૂર્વક ઊજવાયા હતા.
* ભાદરવા સુદ ૧૫ ના રોજ દસલક્ષણીપર્વની પૂર્ણતાના હર્ષોપલક્ષમાં શ્રી જિનવાણી
માતાની રથયાત્રા નીકળી હતી. અંતિમ ત્રણ દિવસોમાં રત્નત્રય પૂજન થયું હતું.
ભાદરવા વદ એકમના રોજ બપોરે ક્ષમાપના તથા જિનેન્દ્રદેવનો અભિષેક થયો હતો.
આ રીતે પર્યુષણપર્વ ઊજવાયા હતા. આ ઉપરાંત મુંબઈ, દિલ્હી, કલકત્તા, ઈન્દોર,
વિદિશા, બડૌત, અમદાવાદ, સૌરાષ્ટ્રમાં ઠેરઠેર પણ હર્ષોલ્લાસથી પર્યુષણ ઊજવાયા
હતા ને દરેક ઠેકાણે પ્રભાવનાપૂર્વક જાગૃતિ આવી હતી. ગુરુદેવના પ્રતાપે જૈનધર્મનો
પ્રભાવ દિનેદિને વધતો જાય છે.
આ.... ત્મ.... ધ.... ર્મ
“આત્મધર્મ” ના ચાલુ વર્ષનું લવાજમ આગામી અંકે પૂરું થશે. તો
દરેક ગ્રાહકબંધુઓને પોતાનું નવા વર્ષનું લવાજમ રૂા. ચાર વહેલાસર
મોકલીને વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતિ છે.
લવાજમ મોકલવાનું સરનામું–
શ્રી દિ૦ જેન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : અનંતરાય હરિલાલ શેઠ, આનંદ પ્રિન્ટિંગ પ્રેસ–ભાવનગર.