ભૈયા ભગવતીદાસજી ઉપાદાન–નિમિત્તમાં સંવાદમાં કહે છે કે:–
ઉપાદાન પલટયો નહિ, તો ભટકત ફિર્યો સંસાર. ૯
કેવલી અરૂ મુનિરાજકે, પાસ રહે બહુ લોય;
પૈ જાકો સુલટયો ધની, સમ્યક્ તાકો હોય. ૧૧
રહ્યા.–નિમિત્ત શું કરે? પોતાના ઉપાદાનની તૈયારી વિના ભગવાન પણ સમજાવી દ્યે
તેમ નથી. શુદ્ધાત્માની એક જ વાત જ્ઞાની પાસેથી એક સાથે ઘણા જીવો સાંભળે, તેમાં
કોઈ તે સમજીને તેવો અનુભવ કરી લ્યે છે, કોઈ જીવો તેવો અનુભવ નથી કરતા.
નિમિત્તપણે એક જ વક્તા હોવા છતાં શ્રોતાના ઉપાદાન અનુસાર ઉપદેશ પરિણમે છે.
આવી સ્વતંત્રતા છે. અહીં ઉત્કૃષ્ટ જ્ઞાનીવક્તા તરીકે તીર્થંકરદેવનો દાખલો લીધો તેમ
ચોથા ગુણસ્થાનથી માંડીને બધાંય જ્ઞાની વક્તાનું સમજી લેવું.
જેવા શ્રોતા બિરાજતા હોય; જગતમાં સૌથી ઉત્તમ વક્તા તીર્થંકરદેવ, ને સૌથી ઉત્તમ
શ્રોતા ગણધરદેવ, અહા! એ વીતરાગી વક્તા ને એ શ્રોતાની શી વાત! જ્યાં સર્વજ્ઞ
જેવા વક્તા... ને ચાર જ્ઞાનધારી શ્રોતા....એ સભાના દિવ્ય દેદારની શી વાત!! ને
ભગવાનની વાણી એક સમયમાં પૂરું રહસ્ય લેતી આવે, ગણધરદેવ એકાગ્રપણે તે
ઝીલતાં ઝીલતાં સ્વરૂપમાં ઠરી જાય. ભગવાનની સભામાં બીજા પણ લાખો કરોડો
જ્ઞાનીઓ હોય, તિર્યંચો પણ ત્યાં ધર્મ પામે. સામે ઉપાદાન જાગ્યું એની શી વાત! ઉત્કૃષ્ટ
ઉપાદાન જાગે ત્યાં સામે નિમિત્ત પણ ઉત્કૃષ્ટ હોય.–છતાં બંને સ્વતંત્ર. વક્તાપણું તેરમા
ગુણસ્થાને પણ હોય પરંતુ શ્રોતાપણું છઠ્ઠા ગુણસ્થાન સુધી જ છે. પછી ઉપરના
ગુણસ્થાને તો ઉપયોગ નિર્વિકલ્પ થઈને સ્વરૂપમાં થંભી ગયો છે, ત્યાં વાણી તરફ લક્ષ
નથી. તીર્થંકરદેવ સર્વત્ર–