
એકરૂપ વસ્તુ અનુભવમાં નથી આવતી, વિકલ્પ મટતો નથી; માટે કહે છે કે ભેદને
દેખવાથી શુદ્ધ આત્માનું સમ્યગ્દર્શન થતું નથી. એકાકાર થઈને શુદ્ધવસ્તુને અભેદપણે–
તેમાં એકાગ્ર થઈને દેખતાં જ સમ્યગ્દર્શન થાય છે. એકવાર સ્વાનુભવથી આવી પ્રતીત
થઈ પછી સવિકલ્પકાળે પણ તે પ્રતીત ખસતી નથી. છતાં પછી પણ મોક્ષમાર્ગમાં
અભેદ–સ્વાનુભવવડે આગળ વધાય છે, ને કેવળજ્ઞાન થાય છે.
સ્વાનુભૂતિ કે સમ્યગ્દર્શન થતું નથી. સમસ્ત વિકલ્પોથી જુદી જ જ્ઞાનજ્યોત પ્રકાશે છે,
તે જ સ્વાનુભૂતિ છે. સ્વાનુભવ વગર અજ્ઞાની જીવ નવતત્ત્વના વિકલ્પમાં સંતાયેલી
આ જ્ઞાનજ્યોતિને શોધી શકતો ન હતો; વિકલ્પજાળમાં તન્મય થઈને પોતે પોતાના
શુદ્ધસ્વરૂપને સંતાડી દીધું હતું.–ઢાંકી દીધું હતું, તેને અહીં ખુલ્લું કરીને સન્તોએ દેખાડયું
છે. ‘વાહ!
ભરી દીધો છે...એકલો શુદ્ધાત્માના અનુભવનો અધ્યાત્મરસ ઘૂંટયો છે. આ સમયસાર
એટલે ભરતક્ષેત્રનો ભગવાન...ને એનો વાચ્ય ‘ભગવાન સમયસાર’ અંતરમાં છે.
અનુભવ વસ્તુ જુદી છે ને વિકલ્પ વસ્તુ જુદી છે. ‘જ્ઞાન તે આત્મા’ એટલોય વિકલ્પ
સ્વાનુભવમાં સમાય નહિ. સ્વાનુભવમાં આખો શુદ્ધ આત્મા સમાય, પણ વિકલ્પનો એક
કણિયો પણ એમાં ન સમાય. ચોથા ગુણસ્થાને સમ્યક્ત્વમાં આવી વસ્તુ અનુભવમાં
આવી જાય છે, ને ત્યારે જ મોક્ષમાર્ગની ધારા શરૂ થાય છે.
આ વાત છે. આવો અનુભવ કરવો તે સિદ્ધાંતનો સાર છે, તે જ આત્માનું હિત છે.