
થયું; ત્યાં અનંત ગુણવાળો ચૈતન્યરત્નાકર ઊછળ્યો.
કાર્યપણું ન રહ્યું; વિભુત્વનું શુદ્ધ કાર્ય પ્રગટ્યું ત્યાં અનંતગુણો પર્યાયમાં નિર્મળપણે
વ્યાપ્યા; પ્રકાશશક્તિનું કાર્ય પ્રગટ્યું ત્યાં બધા ગુણોનું પ્રત્યક્ષ સંવેદન પર્યાયમાં પ્રગટ્યું.
આમ બધા ગુણોનું કાર્ય સમ્યક્ત્વ થતાં પર્યાયમાં આવે છે. એને શ્રીમદ્ રાજચંદ્રજીએ
‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ’ એમ કહ્યું છે. કર્તા–ભોક્તા, આનંદ, પ્રભુતા, વીર્ય–એ બધા
ગુણોની પ્રતીત થતાં તે બધાનું કાર્ય પર્યાયમાં આવ્યું છે.
કરતાંય જેના સ્વભાવની વિશાળતા, એવા આત્માની પ્રતીત કરતાં તો આખો પ્રભુતાનો
દરિયો ઊછળે છે; પ્રભુતાનું કાર્ય પ્રતીત સાથે જ પ્રગટ થાય છે; વેદનમાં અનંતગુણની
પર્યાય પ્રગટપણે આવી છે. જ્ઞાનચેતના અંતરમુખ કામ કરે છે, તેમાં અનંતગુણના
નિર્મળ અંકુરા ફાટયા. આવું સમ્યગ્દર્શન થતાં કેવળજ્ઞાન ન થાય એમ બને નહિ.
કેવળજ્ઞાનની જેમ જ સમ્યગ્દર્શન અપ્રતિહત સ્વભાવને પ્રતીતમાં લ્યે છે. ચારિત્રગુણનો
પિંડ પ્રતીતમાં આવતાં તે પ્રતીતની સાથે ચારિત્રગુણનો અંશ પણ પ્રગટ્યો છે. આવી
પ્રતીત પરના લક્ષે ન થાય. અનંતગુણના પિંડરૂપ જે દ્રવ્યભગવાન તેના ધ્યેયે
અનંતગુણનું કાર્ય પ્રગટી જાય છે. અનંતગુણ કારણપણે તો છે, પણ તેની સન્મુખ થઈને
તેને કારણ બનાવ્યા વગર નિર્મળ કાર્ય આવે નહિ.
આગમ ભેદ સુઉર વસે’ વસ્તુ એના હાથમાં આવી ગઈ. ભલે કદાચ વિશેષ પડખાનો
ખુલાસો કરતાં ન આવડે, પણ સ્વવસ્તુને એણે પકડી લીધી છે. સ્વવસ્તુનો અપાર
વૈભવ એના હાથમાં આવ્યો છે.
અમૂર્તગુણ, નિષ્ક્રિયત્વગુણ વગેરે અનંતાગુણનો આખો સમુદાય એક સાથે પ્રગટ્યો