Atmadharma magazine - Ank 266-267
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >

Download pdf file of magazine: http://samyakdarshan.org/DcnJ
Tiny url for this page: http://samyakdarshan.org/GLZH89

PDF/HTML Page 58 of 73

background image
: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૫૫ :
પરાધીનદ્રષ્ટિથી ક્્યાંથી છૂટે?
એ જ રીતે કાળ વગર પરિણમન ન થાય–એમ નિમિત્તથી કહેવાય; પણ ત્યાં તો
કાળદ્રવ્યનું અસ્તિત્વ બતાવવું છે. પરિણમન તો વસ્તુના પોતાના સ્વભાવથી જ
થાય છે.
ધર્માસ્તિ વગર ગતિ નહિ,
અધર્માસ્તિ વગર સ્થિતિ નહિ,
કાળ વિના પરિણમન નહિ,
પુદ્ગલ વિના લોકયાત્રા નહિ,
અર્થાત્ સંસાર નહિ,
જ્ઞેય વિના જ્ઞાન નહિ,
ત્યાં અજ્ઞાની પરાધીનદ્રષ્ટિથી વસ્તુસ્વરૂપને પરાધીન માને છે. પણ ભાઈ! ગતિ
કરવાની તાકાત કોની? સ્થિતિ કરવાનો સ્વભાવ કોનો? પરિણમન કરનાર કોણ?
સંસાર – મોક્ષદશાનો કરનાર કોણ? ને જાણવાનો સ્વભાવ કોનો? તું સંયોગને ન જોતાં
વસ્તુના સ્વભાવને જો. વસ્તુમાં જે અલૌકિક સામર્થ્ય છે તેને તું જાણ.
જાણવાની તાકાત જ્ઞાનની પોતાની છે, જ્ઞેયોમાંથી કાંઈ તે તાકાત નથી આવતી.
જ્ઞેયોથી જ્ઞાન થતું હોય તો તો જેટલા જ્ઞેયો તેટલું જ જ્ઞાનસામર્થ્ય હોવું જોઈએ, પરંતુ
જ્ઞાનસામર્થ્ય તો સર્વજ્ઞેયો કરતાંય અનંતગણું છે. –એટલે તે જ્ઞાનસામર્થ્ય જ્ઞેયના
અવલંબન વગર પોતાના સ્વભાવથી જ છે. જ્ઞેય ખૂટ્યાં પણ જ્ઞાન ન ખૂટયું–આટલી તો
એક સમયની પર્યાયની તાકાત, –તો આખા જ્ઞાનગુણના દરિયાનું તો શું કહેવું? ને એવા
અનંતગુણનો પિંડ જે આખો આત્મા–એના અચિંત્યસ્વભાવનું તો શું કહેવું? જેના એક
અંશમાં પણ બેહદ તાકાત–તો આખા સામર્થ્યની શી વાત!! આવા જ્ઞાનનું પૂજન કર,
તેનું બહુમાન કર...તારી ચૈતન્યલક્ષ્મીના બેહદ ભંડાર ખૂલી જશે.
અહા, ચૈતન્યની આ અચિંત્ય તાકાત પાસે વિકલ્પની કિંમત શું? વિકલ્પ તો
ક્્યાં સુધી પહોંચી શકે? બેહદ શક્તિવાળો ચૈતન્યસ્વભાવ તો જ્ઞાનની અનુભૂતિમાં જ
આવે તેવો છે.
જુઓ, ચૈતન્યના સમ્મેદશિખરની આ યાત્રા થાય છે! એકવાર સ્વભાવનો ઉલ્લાસ