છે, તે ભિન્ન વસ્તુમાં હોતાં નથી.
જ છે. આ હાથ, આંગળી કે ઈચ્છા તેનો કર્તા નથી.
ઈચ્છા તે સમ્યગ્જ્ઞાનની કર્તા નથી. આત્મા જ કર્તા થઈને તે કાર્યને કરે છે.
કર્તા વગરનું કર્મ નથી ને બીજો કોઈ કર્તા નથી, એટલે જીવકર્તા વડે જ્ઞાનકાર્ય
થાય છે. આ પ્રમાણે બધા પદાર્થોના બધા કાર્યોમાં તે તે પદાર્થનું જ કર્તાપણું છે
એમ સમજી લેવું.
વસ્તુસ્વરૂપ સમજાવીને માર્ગ સ્પષ્ટ કરી દીધો. સંતોએ બધો માર્ગ સહેલો ને
સીધોસટ કરી દીધો, તેમાં વચ્યે ક્્યાંય અટકવાપણું નથી. પરથી છૂટું આવું
સ્પષ્ટ વસ્તુસ્વરૂપ સમજે તો મોક્ષ થઈ જાય. બહારથી તેમજ અંદરથી આવું
ભેદજ્ઞાન સમજતાં મોક્ષ તો હથેળીમાં આવી જાય છે. હું પરથી તો છૂટો ને
મારામાં એક ગુણનું કાર્ય બીજા ગુણથી નહિ–આ મહાસિદ્ધાંત સમજતાં
સ્વાશ્રયભાવે અપૂર્વ કલ્યાણ પ્રગટે છે.
નવા પરિણામરૂપે તે બદલ્યા કરે છે–એ વાત કહેશે. દર વખતે પ્રવચનમાં આ
ચોથા બોલનો વિશેષ વિસ્તાર થાય છે, આ વખતે બીજા બોલનો વિશેષ
વિસ્તાર આવ્યો.