પર્યાયના આધારે તે કાર્ય થયું એમ નથી, જ્ઞાન ને આનંદના પરિણામ
એકબીજાના આશ્રયે પણ નથી, દ્રવ્ય જ પરિણમીને તે કાર્યનું કર્તા થયું છે.
ભગવાન આત્મા પોતે જ પોતાના કેવળજ્ઞાનાદિ કાર્યનો કર્તા છે, કોઈ બીજો
નહિ. આ ત્રીજો બોલ થયો.
જ રહે–એવું વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુ દ્રવ્ય–પર્યાયસ્વરૂપ છે, એટલે એમાં
સર્વથા એકલું નિત્યપણું નથી, પર્યાયથી પલટાવાપણું પણ છે. વસ્તુ પોતે જ
પોતાની પર્યાયરૂપે પલટે છે, કોઈ બીજો તેને પલટાવે–એમ નથી. નવી નવી
પર્યાયરૂપે થવું તે વસ્તુનો પોતાનો સ્વભાવ છે, તો બીજો તેને શું કરે? આ
સંયોગોને કારણે આ પર્યાય થઈ–એમ સંયોગને લીધે જે પર્યાય માને છે તેણે
વસ્તુના પરિણમન સ્વભાવને જાણ્યો નથી. ભાઈ, તું સંયોગથી ન જો, વસ્તુના
સ્વભાવને જો. વસ્તુનો સ્વભાવ જ એવો છે કે તે કાયમ એકરૂપે ન રહે.
દ્રવ્યપણે એકરૂપ રહે પણ પર્યાયપણે એકરૂપે ન રહે, પલટાયા જ કરે–એવું
વસ્તુનું સ્વરૂપ છે.
એકરૂપે તેની સ્થિતિ ન રહે, તેની હાલત બદલાયા જ કરે. તેથી તે સ્વયં પહેલી
અવસ્થા છોડીને બીજી અવસ્થારૂપ થયા છે, બીજાને લીધે નહિ. વસ્તુમાં ભિન્ન
ભિન્ન અવસ્થા થયા જ કરે છે; ત્યાં સંયોગને કારણે તે ભિન્ન અવસ્થા થઈ–
એવો અજ્ઞાનીનો ભ્રમ છે કેમકે તે સંયોગને જ જુએ છે પણ વસ્તુના
સ્વભાવને દેખતો નથી. વસ્તુ પોતે પરિણમન સ્વભાવવાળી છે એટલે એક જ
પર્યાયરૂપે તે રહ્યા