Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page  


PDF/HTML Page 53 of 53

background image
Atmadharma Regd. No. 182
સન્ત પ્રત્યે....
ઘણા વર્ષ જુની ‘ફૂલછાબ’ ની એક કાપલી અચાનક હાથમાં આવી–
જેમાં એક કાવ્ય હતું. મુમુક્ષુજીવન સન્તને પોતાના જીવનનો આધારે માનીને
તેમના પ્રત્યે આ કાવ્યદ્વારા પોતાની જે ઊર્મિ વ્યક્ત કરે છે તે ગમી, તેથી અહીં
આભાર સાથે પ્રગટ કરી છે. સં.
હે સન્ત મારા. જીવનના આધાર છો.
તમે તો મારા પ્રેમી પ્રાણાધાર છો.
હે સંત મારા. જીવનના આધાર છો.

તારી કૃપાથી મારું જીવન આનંદ ચાલે,
તારી આશિષે એનાં ફૂલડાં ઊગે ને ફાલે;
દૈવી કો દાતાર છો, હે સન્ત મારા૦

જીવનના રણમાં ન્યારી વનસ્થળી છે તમારી;
તાપે તપેલું હૈયું છાયા પામે છે ભારી;
અમૃતના આગાર છો, હે સન્ત મારા૦

તમે છો પિતા ને માતા, સખો તમે સ્નેહી,
પ્રાણ તેમ જીવન ને દેહ વળી દેહી;
સંસારના એક સાર છો, હે સન્ત મારા૦

કૃપાની અખંડ વર્ષા વરસી રહેજો પ્રેમે,
અમારા વિના રહેજો વિખૂટા કદી ના કેમે,
પ્રેમીના હૈયાના હાર છો, હે સન્ત મારા૦
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને