Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 52 of 53

background image
શ્રીમદ્ રાજચંદ્રજીના અંતરમાં સહજ શુદ્ધ આત્માની કેવી ધૂન ચાલતી હશે....!
તેમણે હાથનોંધમાં નીચેના દશ બોલ દ્વારા આત્માની લગની વ્યક્ત કરી છે, તે ઉપરથી
તેમના અંતરની ધૂનનો જિજ્ઞાસુને ખ્યાલ આવશે.
* એકાંત આત્મવૃત્તિ
* એકાંત આત્મા.
* કેવળ એક આત્મા.
* કેવળ એક આત્મા જ.
* કેવળ માત્ર આત્મા.
* કેવળ માત્ર આત્મા જ.
* આત્મા જ.
* શુદ્ધાત્મા જ.
* સહજાત્મા જ.
* નિર્વિકલ્પશબ્દાતીત સહજસ્વરૂપ આત્મા જ.
(આત્મામાં અંતર્મુખવૃત્તિ તરફ તેમના પરિણામનું કેટલું જોર છે તે આમાં
દેખાય છે)
શ્રીમદ્ રાજચંદ્ર એક હાથનોંધમાં લખે છે કે:–
જાગૃત સત્તા.
જ્ઞાયક સત્તા.
આત્મસ્વરૂપ.
(આટલા ટૂંકા લખાણમાં પણ કેટલા બધા
ભાવો ભરી દીધા છે!! આત્માનો અગાધ
મહિમા પાંચ શબ્દોમાં ભરી દીધો છે.)
અહો! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ:–
અહો! તે સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના
મૂળ સર્વજ્ઞદેવ:–
અહો! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત
કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ! આ
વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો
જયવંત વર્તો.