Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 57

background image
૨૭૪
ત્રિકાલજ્ઞનો વિરહ ત્રણકાળમાં નથી
એકવાર ગુરુદેવે પ્રવચનમાં ઘણા પ્રમોદથી
કહ્યું કે હે જીવ! તું આનન્દિત થા કે જગતમાં
કેવળજ્ઞાનનો કદી પણ વિરહ નથી....એનો નિર્ણય
કરીને તું એનો સાધક થા.
ત્રણકાળને જાણનારા એવા સર્વજ્ઞનો
ત્રણકાળમાં કદી વિરહ નથી. ત્રિકાળજ્ઞ–પુરુષ આ
જગતમાં ત્રણે કાળે હોય છે. તેના કારણરૂપ
સર્વજ્ઞસ્વભાવ તારામાં સદાય છે. તેને નિર્ણયમાં
લઈને તું સર્વજ્ઞપદનો સાધક થા.
કેવળજ્ઞાન ન હોય તો આ જગતનું અસ્તિત્વ
જ સિદ્ધ ન થાય.
વર્ષ: ૨૩: અંક : ૧૦ વીર સં. ૨૪૯૨ દ્વિ. શ્રાવણ
તંત્રી: જગજીવન બાવચંદ દોશી. સંપાદક: બ્ર. હરિલાલ જૈન