: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૫ :
બાલવિભાગના ત્રીજા પ્રશ્ન તરીકે ગયા અંકમાં પાંચ આચાર્ય–મુનિરાજનાં નામ,
તથા તેમણે દરેકે રચેલા એકેક શાસ્ત્રનાં નામ પૂછયા હતા, તેના જવાબમાં જુદા જુદા
બાળકોએ જુદા જુદા નામો લખેલા છે, એટલે અમારી પાસે તો ઘણાય આચાર્ય–
મુનિરાજો તથા ઘણાય શાસ્ત્રોનાં નામ ભેગા થયા છે. તે બધા અહીં આપીએ છીએ. આ
વાંચતા ખ્યાલ આવશે કે અહો! આપણા ધર્મમાં કેવા કેવા મોટા મોટા મહાત્માઓ થયા,
તથા તેમણે કેવા કેવા મહાન શાસ્ત્રો રચ્યાં! જેમ આપણે આપણા કુટુંબ–પરિવારને અને
સગાંવહાલાંને ઓળખીએ છીએ તેમ ધર્મમાં આપણા ખરા કુટુંબ–પરિવાર ને ખરા
સગાંવહાલાં તો તીર્થંકરો–મુનિવરો ને ધર્માત્માઓ છે, તેમને ઓળખીને આપણે અત્યંત
પ્રેમપૂર્વક તેમનું આત્મિક જીવન જાણવું જોઈએ. અહીં કેટલાક નામો આપ્યાં છે:–
કુંદકુંદાચાર્ય:– સમયસાર, પ્રવચનસાર;
પંચાસ્તિકાય, નિયમસાર, અષ્ટપાહુડ વગેરે
(તથા ષટ્ખંડાગમની પરિકર્મ–ટીકા)
ધરસેનઆચાર્ય:– (ષટ્ખંડાગમ
શિખવ્યા)
પુષ્પદંતઆચાર્ય:............ષટ્ખંડાગમ
ભૂતબલિઆચાર્ય: ષટ્ખંડાગમ
ગુણધરઆચાર્ય: કષાયપ્રાભૃત
ઉમાસ્વામી:– તત્ત્વાર્થસૂત્ર (મોક્ષશાસ્ત્ર)
યતિવૃષભ–આચાર્ય: ત્રિલોકપ્રજ્ઞપ્તિ;
કષાયપ્રાભૃતની ટીકા
વીરસેનસ્વામી: ધવલ–જયધવલ ટીકા
જિનસેનસ્વામી મહાપુરાણ: (તથા
જયધવલ ટીકાનો બાકીનો ભાગ)
નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી: ગોમટ્ટસાર,
દ્રવ્યસંગ્રહ ત્રિલોકસાર, લબ્ધિસાર,
ક્ષપણાસાર.
યોગીન્દુદેવ: પરમાત્મપ્રકાશ, યોગસાર.
,
પુરુષાર્થસિદ્ધિ ઉપાય; તથા સમયસાર–
પ્રવચનસાર પંચાસ્તિકાયની ટીકા.
સમન્તભદ્રસ્વામી: આપ્તમીમાંસા;
રત્નકરંડશ્રાવકાચાર; સ્વયંભૂ–મહાસ્તોત્ર
સ્તુતિવિદ્યા, વગેરે.
શિવકોટિઆચાર્ય: ભગવતી આરાધના.
કાર્તિકેયમુનિરાજ: બારસ્સ અનુપ્રેક્ષા
પદ્મનંદીમુનિરાજ : પદ્મનંદીપચ્ચીસી
ગુણભદ્રસ્વામી: આત્માનુશાસન (તથા
મહાપુરાણનો બાકીનો ભાગ)
પૂજ્યપાદસ્વામી: મોક્ષશાસ્ત્ર ઉપર
સર્વાર્થસિદ્ધિ ટીકા; ઈષ્ટોપદેશ, સમાધિશતક;
જૈનેન્દ્રવ્યાકરણ.
અકલંકસ્વામી: મોક્ષશાસ્ત્ર ઉપર
રાજવાર્તિક ટીકા; અષ્ટશતી
(આપ્તમીમાંસાની ટીકા) ન્યાયવિનિશ્ચય,
લધીયસ્ત્રય, સિદ્ધિવિનિશ્ચય,