રાગનું ય કર્તૃત્વ કે સ્વામીત્વ રહેતું નથી. તે–તે કાળના વ્યવહારને જાણે છે પણ તેનો તે
સ્વામી થતો નથી. રાગરૂપ વ્યવહાર છે તેનો અકર્તા થયો ત્યારે તેના વ્યવહારને
વ્યવહાર કહ્યો.
આવું સ્વસ્વામીત્વસંબંધ–શક્તિનું કાર્ય પ્રગટ્યું.
રાગનું કર્તૃત્વ રહે એમ બને નહિ. સ્વભાવને જાણતાં પર્યાય તે તરફ વળે એટલે રાગાદિ
પરભાવોથી નિવૃત્તિ થાય જ. પર્યાય અંતર્મુખ થઈને આત્માને જાણે ને પરભાવોથી
નિવૃત્તિ ન થાય એમ બને જ નહિ. સ્વભાવને જાણતાં જ રાગનું કર્તૃત્વ છૂટી જાય છે ને
જ્ઞાન પોતાના સ્વભાવમાં વળી જાય છે એટલે નિર્મળ જ્ઞાન–આનંદની પર્યાયો પ્રગટે
પર્યાયમાંથી પણ રાગનું કારણપણું છૂટી ગયું; તથા તે નિર્મળપર્યાય પોતે રાગનું કાર્ય
પણ નથી; રાગને કારણ બનાવીને નિર્મળપર્યાયરૂપ કાર્ય થયું–એમ નથી. આ રીતે એક
આત્મસ્વભાવની પ્રતીતિ અને અનુભૂતિમાં તેના સર્વે ગુણોના નિર્મળકાર્યની પ્રતીત
ભેગી સમાઈ જાય છે.