: ૨૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
સીમંધરધામ બયાના નગરીમાં
ભાવભીનું પ્રવચન
ફાગણ સુદ સાતમના રોજ સીમંધરભગવાનના દર્શન–પૂજન–
ભક્તિ–અભિષેક ઉલ્લાસપૂર્ણ વાતાવરણ વચ્ચે ગુરુદેવનું
આનંદકારી..પ્રવચન.
वंदित्तु सव्व सिद्धे.........એ મંગલાચરણ દ્વારા કુંદકુંદાચાર્યદેવે આત્મામાં અનંત
સિદ્ધોની સ્થાપના કરી છે. આત્માનો સ્વભાવ સિદ્ધસમાન છે એમ પ્રતીતમાં લઈને સ્વ–
પરના આત્મામાં સિદ્ધની સ્થાપના કરી છે; ‘હું સિદ્ધ, તું સિદ્ધ’ –એમ સિદ્ધસ્વરૂપના લક્ષે
શુદ્ધાત્માનું શ્રવણ કરજો. –એમ અપૂર્વ માંગળિક કર્યું છે.
સીમંધર ભગવાન પાસે વિદેહમાં કુંદકુંદાચાર્યદેવ ગયા હતા ને ત્યાં આઠ દિવસ
રહીને દિવ્યધ્વનિનું શ્રવણ કર્યું હતું. –એ વાત અનેક પ્રમાણથી સિદ્ધ થઈ ગયેલી છે, ને
સીમંધર ભગવાનનો મહાન ઉપકાર છે. તેમાં વળી અહીં પાંચસો વર્ષ પહેલાંનાં
પ્રતિમાજી સીમંધરપ્રભુના બિરાજે છે. તેથી અહીં ખાસ દર્શન કરવા આવ્યા છીએ.
કોઈ કહે– ‘ઘર થોડા છે ને ગામ છોટું છે.’
ગુરુદેવ કહે છે–ભાઈ, ઘર છોટા, પણ તેમાં પરમાત્મા તો મોટા છે ને! તેમ આ
ગામ ભલે નાનું પણ અહીં સીમંધર ભગવાન મોટા બિરાજે છે ને!ં સાધકના નાના
જ્ઞાનમાં અનંત સિદ્ધોને સમાડવાની તાકાત છે.
અનંત સર્વજ્ઞ–સિદ્ધભગવંતોનો પોતાના જ્ઞાનમાં આદર કરવો તે માંગળિક છે.
આચાર્યદેવ મંગળમાં કહે છે કે મારા ને તમારા આત્મામાં હું અનંતસિદ્ધ ભગવંતોને
સ્થાપું છું. –એ મહા માંગળિક છે.
અહા, ભરતક્ષેત્રના મુનિએ સદેહે વિદેહ ક્ષેત્રની યાત્રા કરી, ને સીમંધર
ભગવાનના