Atmadharma magazine - Ank 282
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 41

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૨૩ :
સાક્ષાત્ દર્શન કર્યા. તે જ સીમંધર ભગવાન અત્યારે પણ પૂર્વ વિદેહમાં બિરાજે છે.
સ્થાપના અપેક્ષાએ આપણે અહીં પણ સીમંધર ભગવાન બિરાજે છે. અહીં પ્રતિમાજી
પ૧૬ વર્ષ પ્રાચીન (સં. ૧પ૦૭) ના છે. તેમાં લેખમાં લખ્યું છે કે–
पूर्वविदेहके तीर्थकर्ता श्री जीवन्तस्वामी। श्री श्रीमंधरस्वामी।।...............
સૂર્ય પૂર્વદિશામાં ઊગે છે, તેમ ભગવાન સીમંધરસ્વામી પણ પૂર્વ દિશામાં બિરાજે
છે. તેમની વાણી સાંભળીને સમયસાર રચતાં કુંદકુંદાચાર્યદેવ કહે છે કે હું સિદ્ધ ને તું
સિદ્ધ; તારામાં સિદ્ધપણું ભર્યું છે...તેને ઓળખીને આદર કર. તારી પ્રભુતા તારામાં ભરી
છે. (આમ કહીને ગુરુદેવે ખૂબ ભાવથી ગાયું કે–)
સીમંધર પ્રભુકા યહ બોલ...કિ...
તેરા પ્રભુ તેરેમેં ડોલે...
સીમંધર નાથકા યહ બોલ...કિ...
ભાઈ, તારી પ્રભુતા તારામાં ભરી છે. અનંતા સિદ્ધોને તારામાં સમાવી દે–એવડી
તારી તાકાત છે. અનંત સિદ્ધને આત્મામાં સ્થાપે તેને રાગ કે અલ્પજ્ઞતાની રુચિ રહે
નહિ, એટલે રાગ તોડીને તે સર્વજ્ઞ થઈ જાય. –એવું આ સમયસારનું અપૂર્વ માંગળિક
છે.
સીમંધરપ્રભુની પાસે જઈને આચાર્યદેવ આવો માલ ભરતક્ષેત્રના જીવોને માટે
લાવ્યા. આત્માની પ્રભુતા લાવ્યા...તેઓ કહે છે કે તમારા જ્ઞાનમાં તમે સિદ્ધપદનો આદર
કરો. વિકલ્પમાં પણ સિદ્ધનો જ આદર કરો. એના આદરના વિકલ્પવડે ઊંચા પુણ્ય
બંધાય છે; ને શુદ્ધદ્રષ્ટિ દ્વારા અંતરના જ્ઞાનમાં સિદ્ધનો આદર કરતાં શુદ્ધતાની વૃદ્ધિ થાય
છે; –આ માંગળિક છે.
સીમંધર ભગવાનની સમીપ જઈને આવ્યા બાદ કુંદકુંદાચાર્યદેવે આ મંગળગાથા
બનાવી છે, ને અહીં સીમંધર ભગવાનની સમીપમાં તે વંચાય છે. તારા જ્ઞાનમાં
સિદ્ધપદનો આદર કરીને સાંભળ, તેરે સિદ્ધપદ પ્રગટ હો જાયગા ઔર તું સર્વજ્ઞ બન
જાયગા.
સાધક અનંત સિદ્ધો અને સર્વજ્ઞોને સાક્ષીપણે રાખીને અંતરમાં સિદ્ધપદને સાધે
છે. મોક્ષને સાધવા આત્માની લગની લગાડી, તેમાં અનંતા સિદ્ધો અમારી જાનમાં સાથે
છે, હવે અમારી કેવળજ્ઞાનકન્યા લેવામાં વચ્ચે વિઘ્ન આવે નહિ. કેવળજ્ઞાન પ્રાપ્ત થાય
થાય ને થાય જ. –આવા અપૂર્વ મંગળપૂર્વક આચાર્યદેવે સમયસારમાં શુદ્ધાત્માનું સ્વરૂપ
દેખાડ્યું છે. સીમંધર ભગવાન અહીં બિરાજે છે, તેમની સમીપમાં જ આ વાત ચાલે છે.
સોનગઢમાં પણ