: જાહેરાત :
શ્રી જૈન વિદ્યાર્થી ગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
ઉપરોક્ત સંસ્થા અહીં સોનગઢ (સૌરાષ્ટ્ર) માં છેલ્લા ૧પ વર્ષથી ચાલે છે.
આ સંસ્થામાં જૈનધર્મના કોઈપણ ફિરકાના વિદ્યાર્થીઓને ભેદભાવ વગર પ્રવેશ
આપવામાં આવે છે.
સંસ્થા પોતાનું સ્વતંત્ર ભવ્ય, વિશાળ મકાન ધરાવે છે.
વિદ્યાર્થીઓને સૂવા માટે પલંગની વ્યવસ્થા છે. બીજી ટર્મમાં સંસ્થા તરફથી
વિદ્યાર્થીઓ માટે ટયુશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
અહીં ધોરણ–પ થી ધોરણ–૧૧ (મેટ્રીક) સુધીના વિદ્યાર્થીઓને માસિક
ભોજનના પૂરી ફી ના રૂા. ૩૦) તથા ઓછી ફીના રૂા. ૨૦) લઈ દાખલ કરવામાં આવે
છે.
અહીં એસ. એસ. સી. (મેટ્રીક) સુધીના અભ્યાસ માટે ગુરુકુળ હાઈસ્કૂલ છે.
અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને હાઈસ્કૂલના વ્યાવહારિક અભ્યાસ ઉપરાંત
ધાર્મિક અભ્યાસ પણ કરાવવામાં આવે છે. રજાના તથા તહેવારોના દિવસોએ પૂ.
પરમોપકારી આધ્યાત્મિક સંત “શ્રી કાનજી સ્વામી”નાં તત્ત્વપૂર્ણ વ્યાખ્યાન–શ્રવણનો
તથા પૂજન–ભક્તિનો પણ અપૂર્વ લાભ મળે છે.
આથી દાખલ થવા ઈચ્છાતા વિદ્યાર્થીઓએ તા. ૩૦–૪–૬૭ સુધીમાં પ્રવેશપત્ર
તથા નિયમો મંગાવી વિગતો ભરી તા. ૧પ–પ–૬૭ સુધીમાં પરીક્ષાના વાર્ષિક પરિણામ
સાથે પરત મોકલવાં
લિ. –
મંત્રી,
જૈન વિદ્યાર્થી ગૃહ, સોનગઢ