Atmadharma magazine - Ank 282
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 41

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૩પ :
મૂઢ જીવો કહે છે કે ‘વ્રત તે મોક્ષનું કારણ નથી તો શું વ્રત છોડીને અવ્રત
કરવાં?’ અરે મૂર્ખ! એ વાત ક્યાંથી લાવ્યો? વ્રતને પણ જે મોક્ષનું કારણ ન માને તે
અવ્રતના પાપને તો મોક્ષનું કારણ કેમ માને? વ્રત છોડીને અવ્રત કરવાનું માને તે તો
મહા સ્વચ્છંદી દુર્બુદ્ધિ છે, અને વ્રતના શુભવિકલ્પોને જે મોક્ષનું કારણ માને તે પણ મૂઢ
દુર્બુદ્ધિ છે, મોક્ષના ઉપાયને તે જાણતો નથી. અવ્રત કે વ્રત બંને પ્રકારના રાગથી રહિત
થઈને વીતરાગભાવે સ્વરૂપમાં ઠરવું તે જ મોક્ષનું કારણ છે –એમ ધર્મી જાણે છે, એટલે
અવ્રત તથા વ્રત બંનેના વિકલ્પોને તે છોડવા જેવા માને છે. પહેલાં અવ્રત છોડીને
વ્રતના વિકલ્પ આવે, છતાં તેનેય છોડવા જેવા માને છે. જો તેને છોડવા જેવા ન માને ને
મોક્ષનું કારણ માને તો તે વિકલ્પ છોડીને સ્વરૂપમાં કેમ ઠરે? –એટલે તે તો મિથ્યાદ્રષ્ટિ
જ રહે છે. ધર્મી તો પહેલેથી જ સમસ્ત વિકલ્પોથી પોતાના આત્માને જુદો જાણે છે, ને
અવ્રત તથા વ્રત બંનેને છોડવા જેવા માને છે. અવ્રત અને વ્રત એ બંનેને ધર્મી કેવા
પ્રકારે છોડે છે તે વાત ૮૪ મી ગાથામાં સમજાવશે.
–: પૂ. ગુરુદેવના વિહારનો કાર્યક્રમ:–
તા. ૧૭–૪–૬૭ થી ૧૯–૪–૬૭
તા. ૨૦–૪–૬૭
તા. ૨૧–૪–૬૭ થી ૨૨–૪–૬૭
તા. ૨૩–૪–૬૭
તા. ૨૪–૪–૬૭
તા. ૨પ–૪–૬૭
તા. ૨૬–૪–૬૭
તા. ૨૭–૪–૬૭ થી ૩૦–૪–૬૭
તા. ૧–પ–૬૭
તા. ૨–પ–૬૭
તા. ૩–પ–૬૭
તા. ૪–પ–૬૭ થી ૧૧–પ–૬૭
તા. ૧૨–પ–૬૭ થી
દિલ્હી
મથુરા
આગ્રા
જયપુર
અજમેર
ચિતોડ
કુણ
ઉદેપુર
બામણવાડા
અમદાવાદ
ધંધુકા
બોટાદ
રાજકોટ