Atmadharma magazine - Ank 283
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 45

background image
: ૨૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
વિશુદ્ધ પરિણામની સમસ્ત સેનાને સુસજ્જ કરી. મોહશત્રુને જીતવા માટે તત્પર થયેલા
ભગવાને સંયમરૂપી બખ્તર બનાવ્યું, ઉત્તમ ધ્યાનરૂપ વિજય–અસ્ત્ર ધારણ કર્યું, જ્ઞાનને
મંત્રી બનાવ્યું, અને વિશુદ્ધ પરિણામને સેનાપતિ પદ આપ્યું, દુર્ભેદ્ય અને ધ્રુવયોદ્ધા એવા
અનંત ગુણોને સૈનિક બનાવ્યા; અને રાગાદિ પ્રતિપક્ષીને હન્તવ્ય એવા શત્રુપક્ષમાં
રાખ્યા.
એ પ્રમાણે સૈન્ય તૈયાર કરીને જગત્ગુરુ ભગવાન જેવા વિજય માટે ઉદ્યમી થયા
કે તરત જ કર્મસૈન્ય ખળભળી ઊઠયું, તેની સ્થિતિ તૂટવા માંડી ને રસ–શક્તિ નાશ થવા
લાગી; પ્રકૃતિ એકબીજામાં સંક્રમણ થઈને વેરવિખેર થવા લાગી. કર્મસૈન્ય સમયે સમયે
અસંખ્યાતગણું નિર્જીર્ણ થવા લાગ્યું. જેમ વિજયાભિલાષી રાજા શત્રુસૈન્યમાં ખળભળાટ
મચાવીને પછી તેને મૂળથી ઉખેડી નાંખે, તેમ આ યોગીરાજે પોતાના યોગબળથી પહેલાં
તો કર્મપ્રકૃતિરૂપ મોહસૈન્યમાં ખળભળાટ મચાવી દીધો ને પછી તેને જડમૂળથી ઉખેડી
નાંખવાનો ઉદ્યમ શરૂ કર્યો.
ઉત્કૃષ્ટ વિશુદ્ધિને ભાવતા થકા અપ્રમત્ત થઈને ભગવાને મોક્ષમહેલની સીડી સમાન
ક્ષપકશ્રેણી પર આરોહણ કર્યું. સાતમા ગુણસ્થાને અધઃકરણ કરીને, અપૂર્વકરણ નામના
આઠમા ગુણસ્થાને આવ્યા ને પછી અનિવૃત્તિકરણ નામના નવમા ગુણસ્થાને ચડ્યા. ત્યાં
પૃથકત્વવિતર્ક નામના શુક્લધ્યાનરૂપી ચક્રને ધારણ કરીને તેના પ્રભાવથી અત્યંત શુદ્ધિ
પ્રાપ્ત કરીને, નિર્ભયપણે મોહરાજાના સમસ્ત બળને તોડી પાડયું ને તેની બધીય સેનાને
પછાડી દીધી. પહેલે જ ઘડાકે તેમણે મોહના અંગરક્ષક જેવા કષાયો તથા નવ નોકષાયોરૂપી
યોદ્ધાઓને હણી નાંખ્યા; પછી બાકી રહેલામાં મહાનાયક એવા સંજ્વલન ક્રોધને માર્યો,
પછી માનને માર્યું; પછી માયાને તેમજ બાદર લાભને પણ નષ્ટ કર્યા.
એ પ્રમાણે મોહશત્રુને જીતીને મહાધ્યાનરૂપી રંગભૂમિમાં, સત્ય ચરિત્રધ્વજ
ફરકાવતા ને તીક્ષ્ણજ્ઞાનશસ્ત્રને ધારણ કરતા, તથા દયાનું કવચ પહેરીને તે મહાન વીર
વિજેતા, જ્યાંથી પાછું ન હઠવું પડે એવી અનિવૃત્તિ નામની વિજયભૂમિમાં આવ્યા. અહીં
યોગીરાજ ભગવાન ઋષભદેવે નરક–તિર્યંચગતિ સંબંધી ૧૩ તથા દર્શનાવરણની ૩ એ
સોળ પ્રકૃત્તિને એક ઝાટકે ઉડાડી દીધી. પછી ૮ કષાય પ્રકૃતિઓને, નવ નોકષાયને તથા
સંજ્વલન ક્રોધ–માન–માયા–એમ કુલ ૨૦ પ્રકૃત્તિને પણ મૂળમાંથી ઉખેડી નાંખી; તથા
અશ્વકર્ણ, કૃષ્ટિકરણ વગેરે વિધિદ્વારા કર્મોનું જોર તોડીને ભગવાન દશમા ગુણસ્થાને
આવ્યા. આ સૂક્ષ્મ સાંપરાય ગુણસ્થાને રહેલા અતિસૂક્ષ્મ લોભને પણ જીતીને મોહ ઉપર
સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી લીધો. એ નિર્મોહી વિજેતા ભગવાન ઋષભદેવ, રંગભૂમિમાંથી
મોહશત્રુનો નાશ