નથી; એટલે બાહ્ય વલણરૂપ આકુળતાનો તેમાં અભાવ છે. સુખ તેને કહેવાય કે જેમાં
અંશમાત્ર આકુળતા ન હોય.
ને સુખનો અનુભવ ન થાય એમ બને નહિ. સુખના વેદનમાં અનંત ગુણોનો રસ ભેગો
છે; અનંત ગુણનું અનંત સુખ છે.
ચિન્તા કેવી? પરદ્રવ્ય તો કાંઈ આત્મામાં આવતું નથી ને આત્મા પોતાના ગુણથી બહાર
પરમાં જતો નથી. આવા આત્માના ચિન્તનથી પરમ આનંદ પ્રગટે છે. છદ્મસ્થદશામાં
જ્ઞાનીને જે આનંદ છે તે પણ અનંત ગુણના રસથી ભરેલો અનંત આનંદ છે; તો
સર્વજ્ઞના મહા આનંદની શી વાત? પણ પોતાના આવા આનંદસ્વભાવને ભૂલીને પરની
ચિન્તામાં જીવ વળગ્યો છે તેથી દુઃખી છે. સ્વભાવમાં જુએ તો એકલું સુખ, સુખ ને સુખ
જ ભર્યું છે.
સુખનો માર્ગ માને છે તેણે આત્માના સુખસ્વભાવને જાણ્યો નથી. પુણ્યના ફળરૂપ જે
સુખ છે તે ઈન્દ્રિયજન્ય સુખ છે, તે કાંઈ સાચું સુખ નથી, પણ તે તો દુઃખ જ છે–એમ
પ્રવચનસારમાં સિદ્ધ કર્યું છે. રાગ તો પોતે આકુળતા છે એના વડે ત્રણકાળમાં સુખ થાય
નહિ. સુખગુણના પરિણમનમાં રાગનો કે આકુળતાનો અભાવ છે. એટલે કે
ઉદયભાવનો અભાવ છે. સુખશક્તિ પારિણામિકભાવે ત્રિકાળ છે; તેનું પરિણમન
ક્ષાયિકાદિ