Atmadharma magazine - Ank 283
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 45

background image
: ૩૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
પ્રશ્ન:– બહારમાં તો બંગલા–મોટર–રેડિયો–સીનેમા વગેરે ઘણા પ્રકારનાં સુખનાં
સાધન દેખાય છે ને?
ઉત્તર:– ભાઈ, સુખની ગંધ પણ એમાં નથી. એના તરફનું વલણ તે તો પાપ
અને દુઃખ છે. સુખનો સાગર આત્મામાં ભર્યો છે, તેને બહારના કોઈ સાધનની જરૂર
નથી; એટલે બાહ્ય વલણરૂપ આકુળતાનો તેમાં અભાવ છે. સુખ તેને કહેવાય કે જેમાં
અંશમાત્ર આકુળતા ન હોય.
આત્માનો સુખગુણ શ્રદ્ધા–જ્ઞાન વગેરે સર્વગુણોમાં વ્યાપક છે, એટલે શ્રદ્ધાન–
જ્ઞાન વગેરેના સમ્યક્ પરિણમનની સાથે સુખ પણ ભેગું જ છે. શ્રદ્ધા–જ્ઞાન સાચા થાય
ને સુખનો અનુભવ ન થાય એમ બને નહિ. સુખના વેદનમાં અનંત ગુણોનો રસ ભેગો
છે; અનંત ગુણનું અનંત સુખ છે.
અહો, આવો સુખસ્વભાવ સાંભળે, તેના વિચાર–મનન કરે ને તેનો મહિમા
લાવી અંદર ઊતરે, તો ત્યાં જગતની કોઈ ચિન્તા કે આકુળતા ક્્યાં છે? સુખમાં બીજી
ચિન્તા કેવી? પરદ્રવ્ય તો કાંઈ આત્મામાં આવતું નથી ને આત્મા પોતાના ગુણથી બહાર
પરમાં જતો નથી. આવા આત્માના ચિન્તનથી પરમ આનંદ પ્રગટે છે. છદ્મસ્થદશામાં
જ્ઞાનીને જે આનંદ છે તે પણ અનંત ગુણના રસથી ભરેલો અનંત આનંદ છે; તો
સર્વજ્ઞના મહા આનંદની શી વાત? પણ પોતાના આવા આનંદસ્વભાવને ભૂલીને પરની
ચિન્તામાં જીવ વળગ્યો છે તેથી દુઃખી છે. સ્વભાવમાં જુએ તો એકલું સુખ, સુખ ને સુખ
જ ભર્યું છે.
આત્મામાં જે સુખ ભર્યું છે તે પ્રગટ કરવાનો માર્ગ સમ્યગ્દર્શન છે. સુખનો માર્ગ
શુભરાગમાં નથી, સુખનો માર્ગ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે. જે રાગમાં કે પુણ્યમાં
સુખનો માર્ગ માને છે તેણે આત્માના સુખસ્વભાવને જાણ્યો નથી. પુણ્યના ફળરૂપ જે
સુખ છે તે ઈન્દ્રિયજન્ય સુખ છે, તે કાંઈ સાચું સુખ નથી, પણ તે તો દુઃખ જ છે–એમ
પ્રવચનસારમાં સિદ્ધ કર્યું છે. રાગ તો પોતે આકુળતા છે એના વડે ત્રણકાળમાં સુખ થાય
નહિ. સુખગુણના પરિણમનમાં રાગનો કે આકુળતાનો અભાવ છે. એટલે કે
ઉદયભાવનો અભાવ છે. સુખશક્તિ પારિણામિકભાવે ત્રિકાળ છે; તેનું પરિણમન
ક્ષાયિકાદિ