બાહ્યસામગ્રી શોધવી તે તો વ્યગ્રતા છે, પરાધીનતા છે, દુઃખ છે.
નહિ. આમ પોતાના સુખસ્વભાવને જાણીને તેની સન્મુખ પરિણમતાં જે સુખ પ્રગટ્યું
તેમાં દુઃખનો અભાવ છે. આવી દુઃખના અભાવરૂપ સુખદશા પ્રગટે ત્યારે આત્માના
સુખસ્વભાવને જાણ્યો કહેવાય. સ્વાનુભૂતિમાં જે સુખનું વેદન થયું તે ઉપરથી ધર્મી જીવ
જાણે છે કે મારો આખો આત્મા આવા પૂર્ણ સુખસ્વભાવથી ભરેલો છે.–આમ પર્યાયમાં
પ્રસિદ્ધિ સહિત શક્તિની પ્રતીત સાચી થાય છે. શક્તિની પ્રતીત કરે ત્યાં તેનું ફળ
પર્યાયમાં આવ્યા વિના રહે નહિ.
જ્ઞાન–સુખ વગેરે ગુણો વ્યક્તપણે પર્યાયમાં વ્યાપે, એટલે કે નિર્મળપણે પરિણમે, ત્યારે
અનંતશક્તિવાળા આત્માને જાણ્યો–માન્યો–અનુભવ્યો કહેવાય.
સુખ ગુણના કાર્યમાં દુઃખ ન હોય. સુખથી ભરેલા અંર્તસ્વભાવમાં દ્રષ્ટિ કરતાં સુખ
પ્રગટે છે, દુઃખ નથી પ્રગટતું. અહા, આવા સુખસ્વભાવની પ્રતીત કરતાં જ તેમાંથી
નિરાકુળ અચિંત્ય આનંદની કણિકા પ્રગટે છે, જેનો સ્વાદ સિદ્ધપ્રભુના સુખ જેવો જ છે.
–આવું સુખશક્તિનું કાર્ય છે.
સાધન છે, બહારમાં બીજું કોઈ સાધન નથી. ભાઈ, અંતરમાં નજર કરીને આનંદને
શોધ; બહારમાં ક્્યાંય ન શોધ.