Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 75

background image
: ર : આત્મધર્મ: બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
નવકુમારિકા બહેનોએ ગ્રહણ કરેલ
અમારા સાધર્મીઓને આ ચોથીવાર આનંદ–સમાચાર
આપતાં હર્ષ થાય છે કે–શ્રાવણ વદ એકમ ને રવિવારના રોજ
સોનગઢમાં પૂ. ગુરુદેવની મંગલછાયામાં એકસાથે નીચેના નવ
કુમારિકા બહેનોએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અંગીકાર કરી છે:–
(૧) ઈન્દિરાબેન (વર્ષ: ૩૦ નવલચંદ ખીમચંદના સુપુત્રી) મોરબી
(૨) હંસાબેન (B. Sc. વર્ષ ૨પ કેશવલાલ મહીજીભાઈના
સુપુત્રી) જલગાંવ
(૩) સુરેખાબેન (વર્ષ: ૨૩ કેશવલાલ મહીજીભાઈના સુપુત્રી) જલગાંવ
(૪) રમાબેન (વર્ષ: ૨૩ મોતીલાલ સુંદરજીના સુપુત્રી) દાદર–મુંબઈ
(પ) મૈનાબેન (વર્ષ: ૨૨ ખેમરાજ કંવરલાલના સુપુત્રી) ખૈરાગઢ
(૬) સુશીલાબેન (વર્ષ: ૨૩ નત્થુસા બાલચંદસાના સુપુત્રી) મલકાપુર
(૭) નિર્મળાબેન (વર્ષ: ૨૪ રતનલાલસા પન્નાલાલસાના સુપુત્રી) મલકાપુર
(૮) વિમલાબેન (વર્ષ: ૨૩ પુનમચંદસા ભિકુસાના સુપુત્રી) મલકાપુર
(૯) વિમલાબેન (વર્ષ: ૨૨ લાલચંદજી જૈન સિંઘઈના સુપુત્રી) જબલપુર
આ નવે બહેનો સુશિક્ષિત ખાનદાન કુટુંબના છે, બાલબ્રહ્મચારી છે, અને લાંબા
સમયથી સોનગઢમાં રહીને ગુરુદેવના ઉપદેશથી તેમજ પૂ. બેનશ્રી–બેનની મંગલછાયામાં
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ તથા વૈરાગ્યનું સીંચન કર્યું છે. જ્યારથી બહેનોનું બ્રહ્મચર્યપ્રતિજ્ઞા
લેવાનું નક્કી થયું ત્યારથી જ સોનગઢમાં ઉલ્લાસભર્યા ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું હતું.
શ્રાવણ વદ એકમની સવારમાં, બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા લેનારા બહેનો તરફથી
જિનમંદિરમાં સમૂહપૂજન થયું હતું. ત્યારબાદ બ્રહ્મચારી બહેનોના હાથમાં
જિનવાણીસહિત જુલૂસ નીકળ્‌યું હતું, ને ગામમાં ફરીને પ્રવચન–મંડપમાં આવ્યું હતું.
પછી લગભગ