ઉપલકભાવે ઓળખે તેમાં સાચું ફળ ન આવે. અનંતવાર જીવને જ્ઞાની તો મળ્યા, પણ
જ્ઞાનીના આત્માને જ્ઞાનીપણે ઓળખ્યા નહિ. રાગ અને દેહ ઉપર દ્રષ્ટિ રાખીને જ્ઞાનીને
પણ એ જ દ્રષ્ટિથી જોયા; પણ રાગથી ને દેહથી પાર એવા ચૈતન્યભાવની દ્રષ્ટિથી
જ્ઞાનીને ઓળખ્યા નહિ, તેથી જ્ઞાનીની ખરી ઉપાસના તેણે કરી નહિ.
ઈન્દ્રિયો દ્વારા આત્માના આનંદનું વેદન થતું નથી. પણ અંતર્મુખ સ્વસંવેદનપ્રત્યક્ષ દ્વારા
પોતે પોતાના આનંદને વેદનારો છે. અંતરને અનુભવનારો જે પ્રત્યક્ષ અંશ છે તે
આત્માનો સ્વભાવ છે; સહજભાવ તે આત્મસ્વભાવરૂપ છે. આત્મા આત્મભાવ વડે
જણાય, આત્મા પરભાવ વડે ન જણાય.
નથી; આત્માનું ખરૂં સ્વરૂપ તેને અનુમાનમાં પણ નથી આવતું. શરીરવાળો આત્મા
નહિ, આત્મા તો રૂપ વગરનો અશરીરી છે; રાગ વાળો પણ આત્મા નહિ, ને
ઈન્દ્રિયજ્ઞાન કે મનના અવલંબનવાળું એકલું પરલક્ષી અનુમાનજ્ઞાન તે પણ પરમાર્થ
આત્મા નહિ. આત્મા તો એકલા ચૈતન્યમય અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે. અતીન્દ્રિય કહો કે
પ્રત્યક્ષ કહો, એવા જ્ઞાનવડે જાણવાનો આત્માનો સ્વભાવ છે.
અવલંબનવાળું તો જ્ઞાન આત્માનું ચિહ્ન નહિ, ને એકલા બહારના જ્ઞેયોના
અવલંબનવાળું જ્ઞાન તે પણ આત્માનું ચિહ્ન નથી; પરાલંબી ભાવ વડે આત્મા જણાય
નહિ. પોતાના આનંદસ્વભાવનું વેદન પરના અવલંબનવાળું નથી. પરના અવલંબને
જ્ઞાન નથી તેમ પરના અવલંબને સુખ પણ નથી.
છે. વ્યવહાર કેવો છે ને તેની મર્યાદા કેટલી છે? અને પરમાર્થ આત્મા કેવો છે? તે
બધાનો વિવેક કરવો જોઈએ.
નથી જાણતો, પણ ઉપયોગ ઉપયોગરૂપ રહીને જ રાગને જાણે છે. ઉપયોગ