Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 49

background image
: ર : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
મોક્ષનગરીમાં
પ્રવેશવાનો અવસર
હે જીવ! ચારગતિના ચક્કરમાંથી છૂટીને
મોક્ષનગરીમાં પ્રવેશવાનો અવસર આવ્યો છે...તો
અંધની જેમ તું આ અવસર ચૂકીશ મા.
અરે, અનંતકાળના પરિભ્રમણમાં રખડતા જીવે ચાર ગતિમાં અવતાર કરી કરીને
મહા દુઃખો ભોગવ્યા; એમાં ક્યારેક માંડમાંડ મનુષ્ય થયો, ને ૮૪ ના ચક્કરમાંથી બહાર
નીકળવાનો અવસર હાથમાં આવ્યો, અત્યારે બેદરકાર થઈને બીજે કાળ ગુમાવીશ તો હે
ભાઈ, તું અવસર ચૂકી જઈશ. (જુઓ ચિત્ર) એક અંધમનુષ્યને શિવનગરીમાં પ્રવેશવું
હતું; નગરીના ગઢને એક જ દરવાજો હતો. કોઈ દયાળુએ તેને માર્ગ દેખાડયો કે આ
ગઢની રાંગે હાથ લગાવીને ચાલ્યા જાઓ, ફરતાં ફરતાં દરવાજો આવે એટલે અંદર પેસી
જાજો, વચ્ચે ક્યાંય પ્રમાદમાં અટકશો નહિ. એ પ્રમાણે ગઢને હાથ લગાડીને તે
અંધમનુષ્ય ફરવા લાગ્યો, પણ વચ્ચેવચ્ચે પ્રમાદી થઈને ઘડીકમાં પાણી પીવા રોકાય,
ઘડીકમાં શરીર ખજવાળવા રોકાય, એમ કરતાં કરતાં