Atmadharma magazine - Ank 304
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 47

background image
: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯પ
ચાર રૂપિયા મહા
_________________________________________________________________
* આનંદ
અને જ્ઞાન બંને
સહકારી છે *
જ્ઞાનની જેમ આનંદ પણ આત્માનો સ્વભાવ છે.
જ્યાં આનંદ ન હોય ત્યાં જ્ઞાન પણ કેમ હોય?
આનંદ વગરના જ્ઞાનને જ્ઞાન કહેતા નથી.
એકલું પરસન્મુખી જ્ઞાન તે જ્ઞાન નથી, કેમકે તેમાં આનંદ નથી.
સ્વસન્મુખજ્ઞાન જ અતીન્દ્રિય આનંદ સહિત છે, તે જ જ્ઞાન છે.
એક સાથે આવું જ્ઞાન ને આવો આનંદ તે આત્મસ્વભાવ છે.
આનંદ વગરનું જ્ઞાન હોતું નથી, જ્ઞાન વગર આનંદ હોતો નથી.
આત્મામાં સ્વસન્મુખ થતાં એક સાથે જ જ્ઞાન–આનંદરૂપે આત્મા સ્વયં પરિણમે
છે.–આવો સ્વભાવ તે આત્મા છે.
જેમાં આનંદ નહિ તે આત્મા નહીં...આત્મા તો અનાકુળતા લક્ષણવાળા
સુખસ્વભાવરૂપ છે. એ સુખથી વિલક્ષણ જે ભાવો છે તે આત્મા નથી, આત્માનો જે
ભાવ હોય તે તો સુખરૂપ હોય–જ્ઞાનરૂપ હોય. જ્ઞાનવગરનો–સુખવગરનો ભાવ તેને
આત્મા કેમ કહેવાય? શુભ–અશુભવૃત્તિઓ કે–જેમાં આકુળતા છે–જેમાં નિરાકુળતારૂપ
સુખ નથી, તેને આત્મા કોણ કહે? એ તો આત્માના સ્વભાવથી જુદા લક્ષણવાળા છે.
આત્માનું વેદન તો આકુળતા વગરના સહજ આનંદરૂપ છે.