Atmadharma magazine - Ank 315
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 45

background image
: પોષ : ૨૪૯૬ : ૧ :

વાર્ષિક લવાજમ ચાર રૂપિયા * વર્ષ ૨૭: અંક ૩ * વીર સં. ૨૪૯૬ પોષ
________________________________________________________________
લાખ વાતની એક વાત–
મોક્ષમાર્ગને માટે ભૂતાર્થરૂપ
શુદ્ધ આત્માને લક્ષમાં લ્યો
(માગશર વદ ૯ ના પ્રવચનમાંથી)
માગશર સુદ ૧૨ થી તેર દિવસ સુધી પ્રવચનો બંધ
રહ્યા પછી માગશર વદ નોમના રોજ જ્યારે મંગલ પ્રવચન
શરૂ થયા ને સમ્યગ્દર્શનનો સુંદર માર્ગ ગુરુદેવે બતાવ્યો, ત્યારે
એ સમ્યક્–મેઘવર્ષાને ચાતકડાંની જેમ ઝીલીને શ્રોતાઓ
ઉલ્લસિત થયા; અને જાણે આનંદના ઘડા ભરીભરીને અમૃત
વરસતું હોય–એમ નવા જ ઉમંગથી સોનગઢનું વાતાવરણ
ઝબકી ઉઠયું. એ પ્રવચનનો સાર અહીં આપ્યો છે.
જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે–પ્રભો! સમ્યગ્દર્શન કેમ થાય?
તેને આચાર્યદેવ સમજાવે છે કે ભૂતાર્થરૂપ શુદ્ધનય વડે શુદ્ધ
આત્માની અનુભૂતિ કરતાં સમ્યગ્દર્શન થાય છે; અશુદ્ધતાને
બતાવનારો બધોય વ્યવહારનય અભૂતાર્થ છે, કેમકે તે
આત્માના અશુદ્ધસ્વરૂપને દેખાડે છે, આત્માના શુદ્ધસ્વરૂપને તે
વ્યવહારનય બતાવતો નથી. પર્યાયમાં કર્મનો સંબંધ અને
રાગ–દ્વેષાદિ અશુદ્ધભાવો છે તે વ્યવહારનયનો વિષય છે; તે
અશુદ્ધભાવો આત્માની અવસ્થામાં હોવા છતાં, શુદ્ધનય વડે
જોતાં તેમનાથી રહિત અભેદ