: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૫૩ :
દશહજાર–મરાઠી
જૈનબાળપોથી ભેટ
પૂ. શ્રી કાનજીસ્વામી અંતરીક્ષ–પાર્શ્વનાથ (શિરપુર) માં
પંચકલ્યાણક પ્રતિષ્ઠા–મહોત્સવ નિમિત્તે પધાર્યા ત્યારે તેઓશ્રીના
સુહસ્તે મરાઠી ભાષામાં જૈનબાળપોથીની દશહજાર પ્રતિ
આબાલવૃદ્ધ સૌને ભેટરૂપ વહેંચવામાં આવી હતી. બ્ર. હરિલાલ
જૈન દ્વારા લખાયેલી આ ‘જૈનબાળપોથી’ તે જૈનસમાજનું એક
સર્વોપયોગી પુસ્તક છે, અને હવે પછીની આવૃત્તિ વખતે તેની
પ્રતસંખ્યા એક લાખની મર્યાદા વટાવી જશે. બાળપોથી પછીના
પુસ્તકોની શ્રેણી પણ તૈયાર થાય છે; અને તેમાંથી એક પુસ્તકની
વીશ હજાર પ્રત છપાઈ રહી છે,–જે વૈશાખ સુદ બીજે પ્રગટ થશે
મરાઠી બાળપોથીનું પ્રકાશન મુંબઈ મુમુક્ષુમંડળ તરફથી
‘રત્નચિંતામણિ જયંતિમહોત્સવ’ ગ્રંથમાળાના બીજા પુષ્પરૂપે થયું
છે.–ધન્યવાદ!
આત્મરસ–હરિરસ
માહ સુદ પુનમે પૂ. ગુરુદેવ જોરાવરનગરે પધાર્યા; સ્વાગત
બાદ મંગલ– પ્રવચનમાં આત્માનો સાચો રસ બતાવતાં કહ્યું કે–
આત્મામાં જ્ઞાન અને આનંદનો રસ ભર્યો છે, તેનું ભાન કરીને
અનુભવ થાય તે સાચું મંગળ છે. હરિરસ એટલે આત્મરસ, એટલે
કે અતીન્દ્રિય આનંદનો રસ, તેનો સ્વાદ આવે તે મંગળ છે. આત્મા
પોતે અજ્ઞાન અને રાગ–દ્વેષને હરનારો હરિ છે. જગતના
વિષયોનો રસ કે રાગનો રસ તે તો કડવા ઝેર જેવો છે. આત્માના
જ્ઞાનસ્વભાવમાં જે આનંદરસ છે તેનો સ્વાદ લેતાં અરિહંતદશા
પ્રગટે છે, તે મંગળ છે. આત્મા અતીન્દ્રિય આનંદરૂપ હરિરસથી
ભરેલો છે; તેનો રસ પ્રગટ કરવો ને જગતનો રસ છોડવો, તે
મંગળ છે, તે ધર્મ છે, તે મોક્ષનો માર્ગ છે.