Atmadharma magazine - Ank 319
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 54

background image
: ૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
૩. આત્માના સ્વભાવની વાત જીવે અંદરના પ્રેમપૂર્વક કદી સાંભળી નથી; રાગદ્વેષ
અને પુણ્ય–પાપની વાત સાંભળીને, તેનો આદર કર્યો છે. અહીં દેહથી ભિન્ન,
રાગાદિથી ભિન્ન અને ખંડખંડ જ્ઞાનથી પણ પાર એવો અખંડ જ્ઞાયકસ્વભાવી
આત્મા આચાર્યદેવ ઓળખાવે છે. આવા આત્માનો અનુભવ તે
સર્વજ્ઞપરમાત્માની ખરી સ્તુતિ છે. રાગમાં ઊભો રહીને સર્વજ્ઞપરમાત્માની સ્તુતિ
થઈ શકતી નથી, સર્વજ્ઞપરમાત્માની જાતમાં ભળીને, એટલે કે તેમના જેવો અંશ
પોતામાં પ્રગટ કરીને જ સર્વજ્ઞભગવાનની નિશ્ચયસ્તુતિ થાય છે. એવી સાચી
સ્તુતિનું સ્વરૂપ આ ૩૧મી ગાથામાં કહે છે–
જીતી ઈન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને,
નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને.
૪. સર્વજ્ઞભગવાનની સાચી સ્તુતિ એટલે કે આત્માના જ્ઞાનસ્વભાવની સન્મુખ
થઈને તેના શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ કરવા તે; પરમાર્થે આ આત્મા સર્વજ્ઞભગવાન
જેવો છે. સમયસાર ગા. ૭ર વગેરેમાં આત્માને જ ભગવાન કહ્યો છે. ગુરુના
ઉપદેશથી પોતાના પરમેશ્વર આત્માને જાણ્યો એમ ગા. ૩૮ માં કહ્યું છે.
આસ્રવો–પુણ્ય–પાપ તે તો અશુચી–અપવિત્ર છે ને ભગવાન આત્મા તો અત્યંત
પવિત્ર છે–એમ ગા. ૭ર માં કહ્યું છે. આ રીતે જ્ઞાનાનંદસ્વભાવી આત્મા પોતે જ
મહિમાવંત છે, ને કેવળજ્ઞાન પ્રગટ કરીને પરમાત્મા થવાની તેનામાં જ તાકાત
છે. આવા ભગવાન આત્માને સ્વાનુભવથી ઓળખવો તે અરિહંત પરમાત્માની
પ્રથમ સાચી સ્તુતિ છે.
૫. આત્માનો સ્વભાવ ભગવાન થવાનો છે; પામર રહ્યા કરે ને કોઈકની ભક્તિ
કર્યા કરે એવો એનો સ્વભાવ નથી, પણ પામરતા તોડીને, ભક્તિ વગેરેનો રાગ
પણ તોડીને પોતે વીતરાગ સર્વજ્ઞપરમાત્મા થાય એવો આત્માનો સ્વભાવ છે.
આવા સ્વભાવની સન્મુખ થયા વગર સર્વજ્ઞભગવાનની સાચી સ્તુતિ થતી નથી
એટલે કે સમ્યગ્દર્શન થતું નથી.
૬. આ શરીરની પર્યાયરૂપ જડ દ્રવ્યેન્દ્રિયો, તે ઈન્દ્રિયો તરફ વળેલું ખંડખંડ જ્ઞાન તે
ભાવેન્દ્રિયો, અને તે ઈન્દ્રિયજ્ઞાનના વિષયરૂપ બાહ્યપદાર્થો,–એ ત્રણેને જીતીને
એટલે કે તે ત્રણેને આત્માથી ભિન્ન જાણીને, એક જ્ઞાયકસ્વભાવપણે પોતાને