
ભામંડલની મનોવૃત્તિ તેનું ઉદાહરણ છે. તે ભામંડળ રાજા એમ વિચારે છે
કે–મેં આ શરીરને સુખેથી પાળ્યું છે તેથી હજી થોડા દિવસ રાજ્યસુખ
ભોગવી લઉં; કલ્યાણના કારણરૂપ એવી ચારિત્રદશાને પછી ધારણ કરીશ.
આ કામ–ભોગ છોડવા કઠણ છે, તેનાથી મને જે પાપ બંધાશે તેને હું પછી
ઘડતાં–ઘડતાં તે ભામંડલે સેંકડો વર્ષો વિષયભોગોમાં વીતાવી
દીધા.....પરંતુ આયુષ્યનો અંત નજીક આવે છે–એનો વિચાર ન કર્યો.
આત્મહિત પછી કરીશ પછી કરીશ–એમ કરતાં, અંતે એકાએક વીજળી
પડવાથી તે સાતખંડા મહેલમાં સૂતાંસૂતાં જ મરણ પામ્યો...પ્રમાદને કારણે
આત્મહિત સાધી ન શક્્યો.
તે એકક્ષણ પણ ચેન પામતો નથી. માથે મૃત્યુ ભમી રહ્યું છે–તેનું તેને
આત્મહિત કરતો નથી, ને અનેકવિધ કલ્પનાઓ વડે ખરાબ કર્મોને બાંધે
છે. ધન, યુવાની, જીવન–એ બંધુય અસ્થિર છે; તેને અસ્થિર જાણી, ભિન્ન
જાણી તેમાં સુખની કલ્પના છોડી, હે જીવ! તું આત્મકલ્યાણ કર. જેથી
તારો આત્મા ભવસાગરમાં ન ડૂબે. હથેલીમાં આવેલું આ મનુષ્યરત્ન તું
નકામું ગુમાવીશ મા. સમસ્ત લૌકિક કાર્યોને નિરર્થક જાણી, દુઃખરૂપ
ઈન્દ્રિયવિષયોને છોડી પરલોક સુધારવા માટે તું પરમ શ્રદ્ધાપૂર્વક
જિનશાસનને સેવ ને આત્મહિત કર.