અજ્ઞાનમાં સ્વીકાર કોનો? આ રીતે સ્વસન્મુખ થઈને જ શુદ્ધઆત્માનો સ્વીકાર થાય
છે. માટે કહ્યું કે સમસ્ત અન્ય દ્રવ્યોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા જ્ઞાયકભાવને
‘શુદ્ધ’ કહેવાય છે. શુદ્ધઆત્માની ઉપાસનામાં અનંત ગુણોની નિર્મળપર્યાય સમાય છે.
ઉત્તર: – હા; આવા આત્માનો નિર્વિકલ્પ અનુભવ સવસ્ત્રદશામાં પણ થઈ
ઘણો ઉગ્ર નિર્વિકલ્પ અનુભવ વારંવાર થાય છે. ગૃહસ્થને તો કોઈ કોઈ વાર જ
નિર્વિકલ્પ અનુભવ થાય છે. પણ નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે જ ધર્મની શરૂઆત
થાય છે, એના વગર ધર્મ હોતો નથી.
તેને નથી; પરજ્ઞેય તરફ ન જુએ ને પોતે પોતાના સ્વરૂપને જ સ્વસન્મુખપણે પ્રકાશે
ત્યારે પણ જ્ઞાયક તો જ્ઞાયક જ છે. – પરજ્ઞેયની અપેક્ષા જ્ઞાયકને નથી. પરસન્મુખ
થઈને જાણે એવો તેનો સ્વભાવ નથી; માટે જ્ઞાનમાં પરની ઉપાધિ નથી.
થકો તે પોતે ‘જ્ઞાયક’ જ છે. સ્વ–પરપ્રકાશકશક્તિ સ્વયં પોતાથી છે, તેમાં પરજ્ઞેયની
ઉપાધિ કે આલંબન નથી.
ગતિનાં દુઃખથી ડરીને જે મુમુક્ષુ આત્માનું હિત કરવા માંગે છે તેની વાત છે. ચારે ગતિ
દુઃખ છે. ચાર ગતિનો જેને ભય હોય તે તેના કારણરૂપ પુણ્યને કેમ ઈચ્છે છે? જેને
પુણ્યમાં મીઠાશ લાગે છે, પુણ્યનો આદર છે તેને ચારે ગતિનો ભય નથી લાગ્યો, તેને
નરકનો ભય છે પણ સ્વર્ગની તો ઈચ્છા છે. જે પુણ્યને ઈચ્છે છે તે સ્વર્ગની ગતિને
ઈચ્છે છે ને જે સ્વર્ગને ઈચ્છે છે તે સંસારને જ ઈચ્છે છે. આત્માના મોક્ષને જે ઈચ્છે તે