Atmadharma magazine - Ank 335
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 44

background image
: ભાદ્રપદ : ૨૪૯૭ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૭
લવાજમ ભાદ્રપદ
ચાર રૂપિયા
Sept¸ 1971
* વર્ષ ૨૮ : અંક ૧૧ *
ધર્માત્માની ગંભીર પરિણતિનું સ્વરૂપ સમજાવતું
આત્મ–અનુભૂતિપ્રેરક આનંદમય પ્રવચન
શ્રાવણ વદ બીજનું આ મંગલપ્રવચન છે. ધર્માત્માની
ગંભીર ચેતનાપરિણતિ–કે જે રાગાદિ સમસ્ત પરભાવોથી
અત્યંત જુદી, ચૈતન્યમાં એકત્વભાવે નિરંતર વર્તે છે–તે
પરિણતિને ઓળખતાં ચૈતન્યનું અને રાગનું પોતામાં
ભેદજ્ઞાન થઈને આત્મસાક્ષાત્કાર થાય છે,–તે જ ધર્માત્માની
પરમાર્થ ભક્તિ છે; આવી ભક્તિવડે અવશ્ય મુક્તિ થાય છે.
તે ચેતનાપરિણતિની સાચી ઓળખાણ અને આત્મઅનુભૂતિ
કેમ થાય તેનું અદ્ભુતવર્ણન ગુરુદેવે આ પ્રવચનમાં કર્યું છે;
અને ગુરુદેવ કહે છે કે આ તો મંગલ બીજના નિમિત્તે
અધ્યાત્મના બદામપાક પીરસાય છે. આત્મજિજ્ઞાસુ જીવો આ
પ્રવચનના ભાવોનું મનન કરીને આત્મલાભ પામો.
(સં.)
આ નિયમસારમાં નિશ્ચયપ્રત્યાખ્યાનની વાત ચાલે છે. પ્રત્યાખ્યાન કરનાર
જીવને પ્રથમ તો પરભાવથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય અને અનુભવ
હોય છે.