Atmadharma magazine - Ank 340
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 49

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૧ :
જીવનને માટે સંયમનો નાશ કરવો ઉચિત નથી. અસાતાનો ઉદય આવ્યો તેને
કોણ રોકી શકે?–એમ જાણીને, હે કલ્યાણઅર્થીજનો! અશુભ કર્મની ઉદીરણા થતાં
મનમાં દુઃખ ન કરો. દુઃખ કરવાથી કાંઈ ઉદય તો નહીંં મટે પણ ફરીને અસાતાકર્મ
બંધાશે. વિષાદ–કલેશ કે વિલાપ કરવાથી તો કાંઈ વેદના ઉપશમતી નથી, ઘટતી પણ
નથી, સંકલેશ કરવાથી વેદનામાં તો કાંઈ ફેર નથી પડતો, તેમજ બીજો પણ કોઈ ફાયદો
નથી થતો, માત્ર આર્તધ્યાન થાય છે ને દુષ્કર્મ બંધાય છે.
જેમ આકાશને મૂઠી મારવી તે નિરર્થક છે, ને તેલ માટે રેતી પીલવી તે નિરર્થક
છે, તેમ અશુભકર્મના ઉદયમાં વિલાપ કે દીનતા કરવી તે પણ નિરર્થક છે, એનાથી દુઃખ
મટતું નથી, પણ ઊલ્ટું દુઃખ વધે છે ને ભવિષ્યમાં દુઃખના કારણરૂપ તીવ્રકર્મ બંધાય છે.
જેમ ન્યાયવાન પુરુષ પોતે કરેલું કરજ ચુકવતાં દુઃખી થતો નથી, પણ કરજથી
છૂટકારાનો હર્ષ માને છે, તેમ પૂર્વે પોતે ઉપાર્જન કરેલું કર્મ ઉદયમાં આવતાં ન્યાયમાર્ગી
જ્ઞાનીજનો દુઃખી થતા નથી; સમભાવપૂર્વક વેદીને કર્મનું ઋણ ચુકવતાં તે આનંદ માને
છે. આ દુઃખવેદના કોઈ બીજાએ આપેલ નથી પણ અમારા જ પૂર્વકર્મનું ફળ છે––એમ
જાણી સમભાવ રાખો, દુઃખી મત થાઓ.
અરે મુનિ! પૂર્વે બીજા કોઈને આવું દુઃખ ન આવ્યું હોય ને એકલા તમને જ
આવું દુઃખ આવ્યું હોય–એમ તો નથી. દુઃખ તો સંસારમાં બધા જીવોને આવે છે, કાંઈ
તમને એકને નથી આવ્યું. પૂર્વકર્મના ઉદયથી દુઃખ આવવા છતાં સમભાવ રાખીને ઘણા
જીવો મોક્ષમાં ચાલ્યા ગયા; માટે દુઃખમાં સમભાવ રાખવો યોગ્ય છે. કર્મથી ભિન્ન
પોતાના સ્વરૂપનું સ્મરણ કરીને ધૈર્ય ધારણ કરતાં તે દુઃખ ટળી જાય છે, અને આરાધના
નિર્વિધ્ન રહે છે.
અરિહંત–સિદ્ધભગવંતો, તથા તે ક્ષેત્રવાસી દેવો અને સમસ્તસંઘની સાક્ષીપૂર્વક
કરેલું જે પચ્ચખાણ, તેનો ભંગ કરવા કરતાં તો મરણ શ્રેષ્ઠ છે; કેમકે વ્રતભંગથી તો
લોકમાં નિંદા થાય, માર્ગ બગડે, ધર્મનો અપવાદ થાય ને પરલોકમાં પણ જીવ ઘણા કાળ
સુધી દુઃખી થાય. માટે, પંચપરમેષ્ટીની સાક્ષીથી લીધેલા સંલ્લેખના વ્રતને હે મુનિ! ભંગ
ન કરો, –ભલે દેહ છૂટી જાય. આવા દુર્લભ રત્નત્રય પામીને હવે તેને ન બગાડો.
આ સમાધિના અવસરે ક્ષુધાથી પીડિત થઈને તમે આહારની વાંછા કરો છો,––
પણ અરે મુનિ! જ્યાં આત્મિક–સુખરસનો સ્વાદ છે ત્યાં આહારાદિથી વિરક્તિ થઈ