Atmadharma magazine - Ank 341
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 43

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૭ :
મારી છાયાને જ વાંદરો સમજીને તેના ઉપર પંજો મારી રહ્યા છો તેમ પૂર્વે તમારા એક
સિંહદાદાએ કૂવામાં પોતાની છાયા દેખીને તેને જ સાચો સિંહ માની લીધો ને તેની સાથે
લડવા કુવામાં ઝંપલાવીને ડુબી મર્યા.
સિંહ કહે : અરે વાંદરાજી! જેમ મારા દાદાએ ભૂલ કરી હતી તેમ તારા દાદાએ
પણ ભૂલ કરી હતી. એકવાર તારા એક વાંદરાદાદા ઝાડ ઉપર બેઠા હતા ને નીચે તેની
છાયા પર સિંહે પંજો માર્યો, ત્યાં તો ઉપરનો વાંદરો ધ્રૂજી ઊઠ્યો, ને ‘સિંહ મને મારી
નાંખશે’ એવા ભયથી નીચે પડ્યો. એમ તું પણ હમણાં નીચે પડવાનો છો.
વાંદરાએ હસીને કહ્યું––અરે સિંહમામા! એ જમાના ગયા. હવે તો ભેદજ્ઞાનના
જમાના આવ્યા છે. પડછાયાને પોતાનો માનવાના જમાના વીતી ગયા. તમને ખબર
નહિ હોય કે હું સોનગઢના આંબાવનમાં રહી આવ્યો છું. એ સોનગઢમાં એક મહાત્માના
પ્રતાપે ભેદજ્ઞાનના વાયરા વાઈ રહ્યા છે; ત્યાંના મનુષ્યો તો જડ–ચેતનનું ભેદજ્ઞાન
કરનારા છે, ને તે દેખીને મારા જેવા વાંદરાને પણ દેહને આત્માની ભિન્નતાની ભાવના
જાગી છે. હવે, છાયાને પોતાનું રૂપ માનીને પ્રાણ ગુમાવવાના મૂર્ખાઈના જમાના ગયા.
તમે તમારે છાયા ઉપર ગમે તેટલા પંજા મારોને, હું તો છાયાથી જુદો નિર્ભયપણે મારા
સ્થાને બેઠો છું.
વાંદરાની વાત સાંભળીને સિંહમામા સમજી ગયા કે અહીં મારું કાંઈ ચાલવાનું
નથી. ઊલટું વાંદરાની બુદ્ધિ પ્રત્યે તેને બહુમાન જાગ્યું કે વાહ! દેહ અને છાયાની
ભિન્નતાના ભાનથી આ વાંદરાને કેવી નિર્ભયતા છે! તો પછી, દેહ અને આત્માની
ભિન્નતા જાણવાથી તો કેવી નિર્ભયતા થાય! આમ સિંહને વિચારવાનું પરિવર્તન થયું.
સિંહે પોતાના વિચાર વાંદરાને જણાવ્યા. વાંદરાએ કહ્યું––મામા! તમારી વાત
તદ્ન સાચી છે. દેહ અને આત્માની ભિન્નતા જાણતાં, આ સિંહની તો શી વાત! –પરંતુ
કાળરૂપી સિંહનો પણ ભય રહેતો નથી; કાળરૂપી સિંહ આવે કે મૃત્યુ આવે, તોપણ તેને
પાછો વાળી દ્યે કે અરે કાળ! તું ચાલ્યો જા...મારી પાસે તારું જોર નહિ ચાલે; તારો પંજો
મારા ઉપર નહિ ચાલે, કેમકે હું કાંઈ દેહ નથી, હું તો અવિનાશી આતમરામ છું;
મૃત્યુરૂપી સિંહ મને મારી શકે નહીં.
હે સિંહમામા! આવા સરસ ભેદજ્ઞાનની વાત સાંભળીને હવે તમે હિંસાના
ક્રૂરભાવ છોડો ને આત્માના પરમ શાંતભાવને ધારણ કરો. તમારા વંશમાં પૂર્વે એક