Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 53

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૩૯ :
* શ્રાવણ સુદ પૂર્ણિમા : વાત્સલ્યનું મંગલ પર્વ *
અહા, રત્નત્રયસાધક જીવોને બીજા રત્નત્રયસાધક જીવો પ્રત્યે કેવું વાત્સલ્ય હોય
છે! તેનો સંદેશ આ વાત્સલ્ય–પૂર્ણિમા હજારો–લાખો વર્ષોથી આપણને આપી રહી છે.
ધન્ય એ અકંપન વગેરે ૭૦૦ મુનિવરોનું ધૈર્ય! ધન્ય એ વિષ્ણુ મુનિરાજનું પરમ
વાત્સલ્ય! ધન્ય એ હસ્તિનાપુરના શ્રાવકોની ભક્તિ! અને છેલ્લે ધન્ય એ બલિરાજા–કે
જેણે ભયંકર દુઃખદાયી વિરાધના છોડીને ચૈતન્યની આરાધના આજે જાગૃત કરી. ભૂલ
તો અનાદિથી હતી જ, તે ભૂલ તોડીને જે આરાધક થયો ને મોક્ષના પંથે ચડયો તેની
વઢવાણના ભાઈશ્રી જગજીવનદાસ લક્ષ્મીચંદ (ઉ. વ. ૮૬) તા. ૯–૮–૭૨ ના રોજ
જિજ્ઞાસુ હતા, ને વઢવાણમાં નવા જિનમંદિર માટે તેમને ઘણો ઉત્સાહ હતો.
વઢવાણના ભાઈશ્રી રસિકલાલ અમૃતલાલની સુપુત્રી નીતાબેન શ્રાવણ સુદ એકમના
રોજ માત્ર ૧૨ વર્ષની બાલવયમાં સ્વર્ગવાસ પામેલ છે. તે હંમેશાં પાઠશાળાઅ જતી
હતી. આત્મધર્મ–બાલવિભાગની સભ્ય (No. ૨૬૭૪) હતી. જીવનની અંતિમ
ક્ષણોમાં પણ લગભગ એક કલાક સુધી તેની બહેન તેને ઉત્સાહપ્રેરક ધર્મચર્ચા
સંભળાવતી હતી કે બહેન! તું તો જ્ઞાન છો.....દેહનું દરદ તને નથી, તેને તું જાણનાર
છો.....મરણ ટાણે બારવર્ષની બાલિકા પણ જે શાંતિથી ભેદજ્ઞાનની આવી વાત
સાંભળતી તે દેખીને મોટાને પણ આર્શ્ચય થાય તેવું હતું. ખરેખર, બાળકોને
બાળપણથી જ ધર્મના સંસ્કાર આપવા કેટલા જરૂરી છે તે આ પ્રસંગે દેખાતું હતું.
(બાલવિભાગના સભ્યના ર્સ્વગવાસના આ સમાચાર આપ જ્યારે વાંચો ત્યારે પાંચ
નમસ્કારમંત્ર મનમાં ગણજો.)
દાહોદના ભાઈશ્રી મણીભાઈ ભૂતા અષાડ વદ ૧૪ના રોજ ૭૮ વર્ષની વયે સ્વર્ગવાસ
પામ્યા છે. તેમને તત્ત્વપ્રેમ હતો ને દાહોદમાં તેઓ શાસ્ત્રપ્રવચન પણ કરતા હતા.
જામનગરના ભાઈશ્રી જયંતિલાલ હીરાચંદ ભણશાળી (ઉ. વર્ષ ૬૬) તા. ૧૭–૮–
૭૨ ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ શાસ્ત્રના અભ્યાસી હતા,
અને અવારનવાર સોનગઢ રહીને લાભ લેતા હતા; અગાઉ જામનગરમાં તેઓ
શાસ્ત્રવાંચન કરતા હતા.
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મની આરાધનાવડે આત્મહિત પામો.