છું. અમારું આ તત્ત્વ જ પોતે ભવથી તરવાની નૌકા છે; પરમશાંત એવું આ અમારું
તત્ત્વ જ સંસારના કલેશને ઠારી નાંખનારું જળ છે. આવું સહજ તત્ત્વ અમારા અંતરમાં
પર્યાયે – પર્યાયે જયવંત વર્તી રહ્યું છે, સાક્ષાત્ વિદ્યમાનપણે જ્ઞાનમાં વર્તી રહ્યું છે.
અમારી જ્ઞાનપરિણતિમાં રાગ જયવંત નથી રહ્યો, તેનો તો ક્ષય થઈ ગયો છે, ને
જ્ઞાનપરિણતિમાં ચૈતન્યભગવાન પરમ તત્ત્વ જ જયવંતપણે બિરાજી રહ્યું છે. જ્યાં આવું
પરમ તત્ત્વ બિરાજે ત્યાં ભેગો રાગ કેમ રહી શકે? અંતર્મુખ થયેલી અમારી
સર્વે પરભાવોને પ્રમોદથી છોડ્યા છે.
તો આ પરમ તત્વ જ જયવંત વર્તે છે; ભગવાન પરમાત્મા અમારી પર્યાયમાં પ્રસિદ્ધ
થયા છે તેથી તે જયવંત છે. જે હાજર હોય, વિદ્યમાન હોય તેને જયવંત કહેવાય જેના
સ્વસંવેદનજ્ઞાનમાં પરમાત્મતત્ત્વ અનુભવમાં આવ્યું છે તેને માટે તે ખરેખર જયવંત છે,
પ્રસિદ્ધ છે, પ્રગટ છે. છે તો બધાય જીવોમાં આવું પરમતત્ત્વ, પણ પર્યાયમાં પોતે
અંતર્મુખ થઈને તેને દેખે ત્યારે તેને ખબર પડે કે અહા! હું તો આવા પરમ સ્વભાવે જ
જયવંત છું. છે તેને જાણ્યા વગર ‘જયવંત’ કહેશે કોણ? ધર્મીની પર્યાયે અંતર્મુખ થઈને
પરમ ચૈતન્યપ્રભુને પોતાનો નાથ બનાવ્યો ને તેની સાથે અભેદ થઈ ત્યારે તે એમ
અનુભવે છે કે આ પરમાત્મતત્ત્વપણે હું
પર્યાયમાં પણ તેવું પરિણમન થઈ ગયું છે.