Atmadharma magazine - Ank 356
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 43

background image
: ૨૪૯૯ : જેઠ આત્મધર્મ : ૧૭ :
જ્ઞાનીની જ્ઞાનદશા કેવી અદ્ભુત હોય છે,–ને તેનું
જ્ઞાન શું કરે છે?–રાગ કરે છે કે આનંદ કરે છે? તે અહીં
સમજાવ્યું છે. જ્ઞાન અને રાગનું સર્વ પ્રકારે પૃથક્કરણ
કરીને જ્ઞાનીની અદ્ભુત દશા ઓળખાવી છે.
[સમયસાર કળશ ૧૫૩]
જેને સમ્યગ્દર્શન–જ્ઞાન નથી એટલે કે આત્માના સાચા આનંદનો સ્વાદ જેને
નથી તે અજ્ઞાની જીવ શુભ–અશુભ કર્મને કરે છે અને તેના ફળની વાંછા કરે છે.
અજ્ઞાનીને આત્માનો તો અનુભવ નથી એટલે તે વ્રતાદિ જે કાંઈ કરે છે તે કર્મફળની
વાંછાથી જ કરે છે. સીધી રીતે સંસાર–ભોગને ભલે ન વાંછે, રાજપાટને છોડીને સાધુ
થાય ને શુભરાગ કરે, પણ તે રાગમાં અને તેના ફળમાં જ અટક્યો છે કે આનાથી મને
કાંઈક લાભ થશે. રાગનો જ તેને અનુભવ છે, રાગથી જુદા ચૈતન્યનો અનુભવ તેને
નથી; એટલે તેને તો ચારગતિનું જ ફળ મળે છે, મોક્ષસુખનો સ્વાદ સમ્યગ્દર્શન વગર
આવતો નથી.
મિથ્યાદ્રષ્ટિની બધી ક્રિયાઓ (શુભ કે અશુભ) સંસારને માટે સફળ છે, ને
મોક્ષને માટે નિષ્ફળ છે, કેમકે તે અજ્ઞાનક્રિયા છે.
અને સમ્યગ્દ્રષ્ટિની જે જ્ઞાનક્રિયા છે,–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગી
ક્રિયા છે તે સંસારફળ (સ્વર્ગાદિ) દેનારી નથી પણ મોક્ષફળ દેનારી છે. અરે બાપુ!
તારા આત્માની ધર્મક્રિયા કેવી છે તેને પણ તું ઓળખતો નથી, ને સંસારના કારણરૂપ
રાગક્રિયાને તેં ધર્મક્રિયા માની લીધી છે. રાગથી જુદા ચૈતન્યનો વીતરાગી સ્વાદ
ધર્મીને આવ્યો છે, તે ધર્મી રાગાદિની ક્રિયાને પોતાના જ્ઞાનસ્વભાવથી જુદી જાણે છે
અને તેથી તે રાગાદિના ફળની પણ વાંછા તેને નથી, આ ક્રિયાઓનું ફળ મને કંઈક
સુખનું કારણ થશે કે મોક્ષનું સાધન થશે–એવી બુદ્ધિ ધર્મીને હોતી નથી.