જેવી અથવા છીણી જેવી છે.
બુદ્ધિમાન મુમુક્ષુ જીવ કલેશના નાશને માટે વિકલ્પજાળરૂપ સેવાળને દૂર કરીને
સ્વાત્મધ્યાનરૂપ સ્વચ્છ અમૃતનું પાન કરે છે.
બીજો તપ નથી, આત્મધ્યાન સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
પુત્રથી, સેવકથી, રાજ્યથી, અધિકારથી, ઉત્તમ વાહનથી, બળથી, મિત્રથી,
પંડિતાઈથી કે રૂપ વગેરેથી સંતુષ્ટ થઈને પોતાનો જન્મ સફળ માને છે. પરંતુ હું
તો, અત્યંત કઠિનતાથી પ્રાપ્ત જે આત્મા અને દેહનું ભેદવિજ્ઞાન, – તેના વડે જ
મારા જન્મને સફળ માનું છું ને તેના વડે જ હું સંતુષ્ટ છું.
તે કર્મપર્વતના મસ્તક પર આ ભેદજ્ઞાનરૂપી વજ્ર નથી પડતું. ભેદજ્ઞાનરૂપી વજ્ર
દુર્લભ છે; ચૈતન્યસ્વરૂપનું પતિપાદન કરનારાં શાસ્ત્રોની પ્રાપ્તિ તેનાથી પણ
દુર્લભ છે; તેનાથી પણ ચૈતન્યસ્વરૂપના ઉપદેશક ગુરુ મળવા મોંઘા છે; અને
ભેદજ્ઞાનવડે ચૈતન્યસ્વરૂપનો અનુભવ તે તો ચિંતામણિરત્નની પ્રાપ્તિ સમાન
દુર્લભ છે.
(અહા, આવા દુર્લભ ચૈતન્યરત્નને પામીને ધર્મી પોતાને કૃતકૃત્ય અનુભવે છે.)