ગીરનારધામ ઉપર બેઠાબેઠા પૂ. ગુરુદેવે, ભક્તિભીનસ હૃદયે
નેમિનાથ ભગવાનના સ્મરણપૂર્વક લખેલા આ હસ્તાક્ષર છે.
પ્રભુના દર્શન કરવા આવતા. –આ વાત તો ઘણા વાંચકો જાણતા હશે.... પરંતુ એ વખતે
ગીરનાર ઉપર કેટલા અરિહંત ભગવંતોનો મેળો ભરાતો – એની ઘણાને ઓછી ખબર
હશે. નેમિનાથપ્રભુ તો અરિહંતપદે બિરાજતા જ હતા, તેમની સાથે સમવસરણમાં બીજા
પણ અરિહંતભગવંતો બિરાજતા હતા. – કેટલા ખબર છે? બેપાંચ કે પચીસ–પચાસ
નહીં પણ એક હજાર ને પાંચસો કેવળી અરિહંત ભગવંતો ત્યાં બિરાજતા હતા. વાહ!
ગીરનાર ઉપર દોઢ–દોઢહજાર અરિહંતો એક સાથે બિરાજતા હતા, એ વખતે એ દોઢ
જોતાં એ મધુરા દ્રશ્યોની સ્મૃતિ આહ્લાદ જગાડે છે. અહા, ધન્ય સૌરાષ્ટ્રની ધરણી કે
જ્યાં એકસાથે દોઢ હજાર જિનેન્દ્રભગવંતો આકાશમાં વિચરતાં હતા!