Atmadharma magazine - Ank 357
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 41

background image
: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૭ :
जय गीरनार









ગીરનારધામ ઉપર બેઠાબેઠા પૂ. ગુરુદેવે, ભક્તિભીનસ હૃદયે
નેમિનાથ ભગવાનના સ્મરણપૂર્વક લખેલા આ હસ્તાક્ષર છે.
અરિહંતોનો મેળો.... ગીરનારનું ગૌરવ....!
સૌરાષ્ટ્રનું પવિત્રધામ ગીરનાર... નેમિનાથ તીર્થંકરના ત્રણ કલ્યાણકથી પાવન
થયું છે.... પ્રભુ અવારનવાર ગીરનાર પધારતા ને ધર્મોપદેશ દેતા... શ્રી કૃષ્ણ વગેરે પણ
પ્રભુના દર્શન કરવા આવતા. –આ વાત તો ઘણા વાંચકો જાણતા હશે.... પરંતુ એ વખતે
ગીરનાર ઉપર કેટલા અરિહંત ભગવંતોનો મેળો ભરાતો – એની ઘણાને ઓછી ખબર
હશે. નેમિનાથપ્રભુ તો અરિહંતપદે બિરાજતા જ હતા, તેમની સાથે સમવસરણમાં બીજા
પણ અરિહંતભગવંતો બિરાજતા હતા. – કેટલા ખબર છે? બેપાંચ કે પચીસ–પચાસ
નહીં પણ એક હજાર ને પાંચસો કેવળી અરિહંત ભગવંતો ત્યાં બિરાજતા હતા. વાહ!
ગીરનાર ઉપર દોઢ–દોઢહજાર અરિહંતો એક સાથે બિરાજતા હતા, એ વખતે એ દોઢ
હજાર અરિહંતોના વીતરાગી મેળાથી ગીરનાર કેવો શોભતો હશે! આજે પણ ગીરનારને
જોતાં એ મધુરા દ્રશ્યોની સ્મૃતિ આહ્લાદ જગાડે છે. અહા, ધન્ય સૌરાષ્ટ્રની ધરણી કે
જ્યાં એકસાથે દોઢ હજાર જિનેન્દ્રભગવંતો આકાશમાં વિચરતાં હતા!